SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૭. સુખની ચાવી : સંકલ્પ ખી થવું કે દુઃખી થવું એ માણસના હાથની વાત છે કારણ કે એ પોતે ‘પક જ પોતાના કર્મનો સ્વામી છે. માણસ નબળા વિચારો અને નિર્બળ કાર્યો કરતો રહેશે તો દુઃખી જ થવાનો, અને સબળ વિચારો અને શ્રેષ્ઠ કાર્યો કરતો રહેશે તો સુખી થવાનો. જીવનસિદ્ધાન્ત એ છે કે માણસ ધારે એટલો જ સુખી કે દુઃખી બની શકે છે. આમ તો બધાં જ ઊઘડતાં પ્રભાત સુંદર હોય છે, પણ આજનું પ્રભાત કાંઈક વધુ સુંદર લાગે છે. આજે ઊઘડતા પ્રભાતથી જ અભિનંદનોની આપલે શરૂ થઈ ગઈ છે. નર-નારીઓનાં મુખ પર આનંદની સુરખી છાઈ રહી છે. વદન પર સ્મિત રેલાઈ રહ્યું છે. સારા થવાની અને સારું કરવાની ઉદાત્ત ભાવનાથી સર્વનાં હૃદય સભર છે. આપણે સુખી થવું હોય, પ્રગતિ કરવી હોય તો આજથી જ – આવા શુભ દિનથી જ એની શરૂઆત કાં ન કરીએ ? કારણ કે આવા શુભ સંકલ્પ માટે આજનું વાતાવરણ અને વિચાર ખૂબ જ અનુકૂળ છે. મન પણ શુભેચ્છાના ધબકાર સાથે કહી રહ્યું છે : કાંઈક – હા કાંઈક તો થવું જ જોઈએ. -તો શું કરીએ ? મોટા ને ખોટા સંકલ્પો અને વાતો કરી આજના પ્રભાતને દૂષિત ન કરીએ. સુખની હવાનો એક જ - માત્ર એક જ સંકલ્પ કરીએ. આ સંકલ્પ છે મૈત્રીને જીવનમંત્ર બનાવવાનો. સામાન્ય છતાં સાત્વિક એક જ વાત : મનથી કે તનથી, શક્ય તેટલું સર્વકોઈનું ભલું કરવું – ભલું કરવા સદા તત્પર રહેવું. ૪૮૮. વિવેચકો. ડું છું, કારણ કે ઉષાનાં જેમણે દર્શન પણ કર્યા નથી તે આજે પ્રકાશનું વિવેચન કરી રહ્યા છે ! ૪૮૯. ચરણરજ 2 વ ! મારે લાખ અને કરોડ નથી જોઈતા; માત્ર હું તમારા ચરણકમળમાં બેસી શકું તો મારે મન ઘણું છે. ૧૫૬ - મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy