SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સરિતામાં છે. સરિતા એટલે અનન્ત પૂર્ણતાનો સ્રોત. આ સરિતાને પણ પૂર્ણતાની એક સ્વપ્નઝંખના છે; અને તે સાગર. પ્રત્યેક ચેતનમાં આ પૂર્ણતા છે. પૂર્ણતાની આ ઝંખનાએ એને વૃક્ષબીજમાંથી માનવની ભૂમિકાએ પહોંચાડ્યો છે. અને આ જ ઝંખના માનવમાં રહેલ ચેતનાને હવે પૂર્ણ પરમાત્માની પરમ ભૂમિકાએ પહોંચાડશે. ૪૭૮. દીવાદાંડીનાં અજવાળાં જીવન એક મહાસાગર છે. આ મહાસાગરમાં જેમ મૂલ્યવાન રત્નો તથા પાણીદાર મોતી રહેલાં છે તેમ ભયંકર જળચરો અને મોટા ખડકો પણ છે. આવા અપાર સાગરમાં મુસાફરી કરતા મુસાફરને દીવાદાંડીનાં અજવાળાં વિના કેમ ચાલે ? એ વિના તો એની જીવનનૈયા કોઈ ખડક સાથે અથડાઈ પડે, અને નૌકાના ચૂરેચૂરા થઈ જાય. દીવાદાંડી અજવાળાં પાથરી ભયસ્થાન સૂચવે છે. માણસ આગળ વધી રહ્યો છે. એનો ઉત્સાહ અને વેગ અપૂર્વ છે. આજ એ ચાલતો નથી, દોડી રહ્યો છે; ન વર્ણવી શકાય એવી પ્રવૃત્તિઓમાં એ રોકાયો છે. એની પાસે સમય નથી એટલે એણે ગતિ વધારી છે. એને ઉતાવળ છે ! પણ પ્રશ્ન થાય છે : એ ક્યાં જવા માગે છે ? એનું ધ્યેય શું છે ? એના છેલ્લા મુકામની મંજિલ કઈ છે ? વેગ એટલો છે કે ધ્યેયનો વિચાર કરવા અવકાશ નથી; પણ ચિત્તકોને એથી ચિત્તા થાય છે; એ ક્યાંય અથડાઈ ન પડે – નિયંત્રણ વિનાનો વેગ માણસાઈના અસ્તિત્વનું કારણ ન બને ! પદાર્થવિજ્ઞાનનો એક નિયમ છે; જેટલા વેગથી આઘાત થાય એટલા જ તીવ્ર વેગથી એનો પ્રત્યાઘાત થાય. આ વેગ માણસમાં આવેગ ને આવેશ લાવી એના અસ્તિત્વને ન ભુલાવી દે, ન ભૂંસાવી દે એ જોવું રહ્યું; અને એથી જ માનવીના મનને કંઈક ઉચ્ચતમ એવું મળતું રહે એ માટે ચિત્તકો પોતાના ચિન્તનમાંથી તારવેલા નવનીતને જગત સમક્ષ ધરતા રહે છે. વેગ, આવેશ ને આવેગથી દોડતા માણસને આ ચિન્તનનું નવનીત ક્ષણભર વિચાર કરવા તથા સાવધાનીથી આગળ ડગ ભરવા પ્રેરણા આપે છે. દીવાદાંડીનાં આ અજવાળાં છે. ઊર્મિ અને ઉદધિ * ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy