SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિચારના ધુમ્મસમાં શૂન્ય જેવો મૂઢ તે થઈ જાય તોય નવાઈ નહિ. કારણ કે એના વિચારે જ એને ઘડ્યો છે, એને આકાર આપ્યો છે; એના વિચાર એ જ એનું સર્જન છે. ૪૭૫. તું તને અનુભવ રીરમાં કોઈને કોઈ વ્યાધિ થયો હોય અને કોઈ કહે : આ વ્યાધિ નહિ જોઈએ. આને દૂર કરો, આને ભગાડો.? પણ એમ ભાષણ કરવાથી વ્યાધિ મટતોય નથી ને ભાગતોય નથી; કારણ કે જ્યાં સુધી એ વ્યાધિનું કારણ શરીરમાં છે ત્યાં સુધી એ નહિ જ જાય. વ્યાધિને દૂર કરવાનો ઉપાય એક જ છે; વ્યાધિનું નિદાન કરી એના કારણને દૂર કરવું. તેવી જ રીતે ક્રોધ, માન, માયા, લોભ ન જોઈએ; એને દૂર કરો, એનો નાશ કરો. એમ કહેવા માત્રથી એ દૂર ન થાય. ક્રોધ શા કારણથી થાય છે અને એ કઈ વસ્તુને નુકસાન કરે છે તે જાણવું જોઈએ. માન શાથી ઉત્પન્ન થાય છે અને એ કોને હણે છે તે સમજવું જોઈએ. માયા કેમ જન્મે છે અને એ કઈ વસ્તુને પોતાના રંગે રંગે છે તે વિચા૨વું જોઈએ. લોભનું કારણ શું અને એ શાનો સર્વનાશ કરે છે તેનું રહસ્ય પામવું જોઈએ. ક્રોધ પ્રીતિ અને શાંતિનો નાશ કરે છે; માન વિનય અને નમ્રતાનો વિનાશ કરે છે; માયા મૈત્રી અને સરળતાને મારે છે; લોભ જીવનની સમગ્ર સુખદ શાંતિને લૂંટી લે છે. પણ આ ચારે ઉત્પન્ન કેમ થાય છે તે વિચારવાનું છે. આ ચારેનો જનક છે મોહ. આ ચાર કષાયો મોહનાં જ સંતાન છે અને મોહ કર્મોમાં રાજા છે. મોહનીય કર્મના ઉદયકાળે આત્મા સ્વસ્થતાથી સ્વના સ્વરૂપમાં ઠરી શકતો નથી. પોતાનો સ્વભાવ-સ્વસ્થતા ગુમાવી બેસે છે, ૫રદ્રવ્યમાં પરિભ્રમણ કરે છે. મદિરાપાનથી મનુષ્ય પાગલ થઈ ગમે તે ચેષ્ટા કરે, ઉન્માદભર્યું જીવન જીવે અને ન કરવાનું કરી બેસે; તેમ મોહની મૂર્ચ્છના પણ ચેતનને સ્વભાવમાંથી પરભાવમાં લઈ જાય છે. આ પરભાવ એટલે જ ક્રોધ, માન, માયા અને લોભ. આ રીતે જોતાં જણાશે કે કષાય એ મોહનો જ વિકાર છે. આ વિકારના મૂળ કારણ એવા મોહને સ્વથી ભિન્ન જાણવો એ જ આવશ્યક કર્તવ્ય છે. સુંવાળા અને સુંદર આકારમાં આવતા મોહની ભયંકરતાનું જ્ઞાન ચેતનને સ્વસ્વરૂપનાં દર્શનથી જ થાય છે. Jain Education International ૧૪૪ ઃ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy