SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ એ અવાજ કહેતો હતો : હે માનવ, તું જાણે છે, એક દિવસ આ સ્થાન કેવું ભવ્ય અને સુંદર હતું એ ?! “અહીં – આ નમેલા ઝરૂખામાં આશાભરેલા હૈયાવાળી મદમત્ત રાજકન્યાઓ બેસતી અને સ્નેહભરી નજરથી નગરને નિહાળતી. નગરવાસીઓ ત્યારે કહેતા : ઝરૂખામાં શરદ પૂનમનો ચાંદ ખીલ્યો છે ! “અહીં – આ બારીક અને નાજુક શિલ્પવાળા સિંહાસન ઉપર રાજકુમારો બેસતા અને પ્રતાપ તેમજ પરાક્રમથી સૂર્યની સામે પણ છાતી કાઢતા. પૌરજનો એમના પૌરુષને જોઈને કહેતા : “ગગનનો સૂર્ય તો રાત્રે આથમી જાય છે, પણ આ તો જ્યારે જુઓ ત્યારે પ્રતાપથી પ્રકાશે છે.” અહીં, તું ઊભો છે ત્યાં તો માનવ-ઉત્સવ જામતો. દેશદેશના સોદાગરો આવતા; તેજસ્વી રત્નો, પ્રકાશઝરતા હીરા, પાણીદાર મોતી, અને ચીનાંશુક વસ્ત્રો લાવતા ને અમારા ખોળામાં પાથરતા. “તે દિવસે અમે અમારી જાતને ધન્ય ધન્ય માનતા અને ગર્વ તેમ જ ગૌરવથી અમે ફૂલ્યા ન સમાતા. “આજ પણ એ અમે જ છીએ – જ્યાં કાગડા પણ માળા બાંધતાં ગભરાય છે અને શિયાળો પણ અંદર આવતાં ભય પામે છે. કાળની વિકરાળ થપાટે અમને ખંડેરમાં ફેરવી નાખ્યાં. અમારા દિવસો હવે આથમી રહ્યા છે. હવે અમને સૌ મહેલ નહિ, પણ ખંડેર કહે છે. અમારી જીવનસંધ્યાનો આ છેલ્લો પ્રકાશ છે. એટલે અમારે તને એક અનુભવવાણી કહેવી છે. આ રીતે પથ્થર પર કોતરેલું શિલ્પ નાશ પામે છે, પણ માનવહૃદય પર કોતરેલું સંયમ અને મૈત્રીનું અમર શિલ્પ કદી નાશ પામે ? કાળના અનંત થર પર પણ એ કાર્ય શાશ્વત રહે છે. ભગવાન મહાવીરે માનવહૃદય પર કોતરેલું શિલ્પ આજ પણ નૂતન નથી લાગતું ? તો મારા ભાઈ ! તું પણ ધૂલિભદ્ર જવું એવું કાંઈક કોતરજે કે જેને કાળ ન ખાય પણ એ કાળને ખાય !” ૪૭૧. સરિતા રિતા તો મેં ઘણીય દીઠી છે, પણ આ તો કોઈ અલૌકિક છે ! મને તૃષા જતો જરાય નહોતી, પણ આ નદીને જોતાં જ તૃષા જાગી, હોઠ સુકાવા ઊર્મિ અને ઉદધિ * ૧૩૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy