SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ખોલવાની કંઈ જ જરૂર નથી. એ તો મારું બાહ્ય અંગ છે અને તે દ્વારપાળ બનીને ઊભું રહેશે જ.' ઓહ ! હવે સમજાયું. સૌન્દર્ય એ તો પ્રેમપુષ્પનો જ પરાગ છે. પ્રેમની નજ૨ જ વસ્તુને વિશિષ્ટ અને સૌન્દર્યમય બનાવે છે. ભૂલીશ નહિ : સૌન્દર્ય પ્રેમનો જ દ્વારપાલ છે. ܀ ૪૫૧. પ્રકાશને દ્વારે ર્ષની વિદાય વેળાએ પ્રકાશ સામે ઊભો છું, અને વિચાર આવે છે દિવસો : મહિનામાં અને મહિનાઓ વર્ષમાં ફેરવાઈ ગયા. આજે હવે વર્ષ પણ વિદાય લઈ રહ્યું છે. કાળચક્ર કેવું અવિરત ફરી રહ્યું છે ! આ મહાકાળની ભયંકરતાને પ્રછન્ન રાખવા નિસર્ગે એના ૫૨ ઋતુઓના વિવિધ પ્રકારનાં ફૂલોની અને ફળોની રમણીયતા મૂકી. માનવી આ ઉપરના દેખાવને, ઋતુઓની આ રંગલીલાને જોવામાં એટલો તો તલ્લીન અને મગ્ન થઈ જાય છે કે કાળચક્રની વિકરાળ ગતિનેય એ જોઈ શકતો નથી. પણ માનવી જુએ કે ન જુએ, એ તો જીવનના દિવસો કાપી જ રહ્યું છે. એક વર્ષ પૂર્ણ થઈ ગયું ! હા, ત્રણસો ને સાઠ દિવસ વીતી ગયા ? પણ પ્રગતિ શી કરી ? સ્થળના વિકાસ સિવાય બીજો શો વિકાસ સાધ્યો ? પ્રકાશ સામે મૌનભાવે મીટ માંડી નમ્રભાવે ઊભો છું એટલા માટે કે કાંઈક ઉત્તર મળે, કાંઈક માર્ગ મળે, કાંઈક નૂતન સૃષ્ટિ મળે. ઊંડાણમાંથી ઉત્તર આવે છે : ‘જીવન એ માત્ર સ્વપ્ન નથી, જાગૃતિ છે; એ માત્ર ધમાલ નથી, વ્યવસ્થા છે; એ કલહભર્યો કટુ શબ્દ નથી, લયભર્યું સંગીત છે.' આ જાગૃતિને, આ વ્યવસ્થાને, આ સંગીતને જીવનમાં પ્રગટાવવા જીવનદરબારના દ્વારે આશાભર્યાં નયને ઊભો છું. જોઉં છું : સંવાદમય સંગીતમાં જાગૃતિનું પરોઢ ક્યારે પ્રગટે છે ! ૪૫૨. વાત્સલ્યની ભરતી ગાય આટલી ઉતાવળી કેમ ચાલી જાય છે ? એની આંખમાં આ શાનું આજ છે ? એના તનમાં આ ઉત્સાહ શાનો છે ? કેવા આહ્લાદમય ઉત્સાહથી એ ચાલી જાય છે ! Jain Education International ૧૨૮ : મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy