SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બની શકે છે. સિંહણનું દૂધ જેમ સુવર્ણપાત્રમાં જ ટકે છે તેમ તારા પ્રેમરસને પણ આ સ્વ-અર્થનું પાત્ર જ ઝીલી શકે છે ! આજ તો હું તારાં દર્શનથી મત્ત બની રસલહાણ લઈ રહ્યો છું; મારે હવે જગતના નિમંત્રણની શી જરૂર ? મને તો જગતનાં નિમંત્રણ કરતાં તારા ઉપાલંભ જ વધારે ગમે છે; જગતની પૂજા કરતાં તારી મધ્યસ્થતા મને વધુ પ્રિય લાગે છે ! પ્રભો ! મારે રાખની ઢગલી ન ખપે, અગ્નિનો એક તણખો જ બસ છે ! ૪૪૯. એ કયું ગીત થ, ભાતનાં દ્વાર ઊઘડે છે ત્યારે ઉષાના વિવિધ રંગો દેખાય છે. વાતાવરણમાં પંખીઓનો કિલકિલાટ અને જીવનનો તરવરાટ દેખાય છે. કલાકો વીતે છે અને ધીમે ધીમે એ રંગો અદશ્ય થાય છે, અને તેને બદલે ત્યાં મધ્યાહુનની પ્રખરતા અને ધોમ તાપ છવાઈ જાય છે. માણસના ચિત્ત પર શૂન્યતા આવવાની ક્ષણે જ સંધ્યાના નમણા વૈભવની આભા વિસ્તરી જાય છે. જીવન પુન: આલાદનો એક ઊંડો નિઃશ્વાસ લે છે, આંખો બંધ કરી એ આનંદનું પાન કરે છે, ત્યાં તો અંધકારનો થર વિશ્વ પર ફરી વળે છે. નિસર્ગ અને જીવનનું આ કેવું નિર્માણ છે ? આ દશ્યો જોઈ કવિને પણ વિચાર આવે છે : નિસર્ગ શું છે ? ઉષાનું આનંદગીત કે તમિસાનું વિષાદગીત ? ૪૫૦. પ્રેમપરાગ છે, ને અહીં મોકલતાં પહેલાં તેં કહ્યું હતું : “માગી લે. પ્રેમ જોઈએ છે કે સૌન્દર્ય ? એક મળશે, બે નહિ.' મેં મારા અંતરના આદેશ પ્રમાણે પ્રેમ માગ્યો. તેં તે વેળા સ્મિત કર્યું અને હું દ્વિધામાં પડ્યો : રખે મારી માગણી મૂર્ખાઈભરી ઠરે. પણ હવે આજ હું મારી જાતને ધન્યવાદથી વધાવું છું, કારણ કે મેં સહજભાવે માગ્યું હતું તે જ સત્ય નીવડ્યું. અત્યારે મારા દ્વારે સૌન્દર્ય આંટા મારી રહ્યું છે. હું દ્વાર ખોલવા ઊભો થયો ત્યાં પ્રેમે કહ્યું : “જરા ધીરો થા. દ્વાર ઊર્મિ અને ઉદધિ ૦ ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy