SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તારા સ્પર્શથી પ્રેમપ્રકાશનો સંયોગ થયો છે. અને આત્મા ? આત્મા તો શાંત સુધારસમાં નિમગ્ન જ બની ગયો છે. ૪૪૭. પ્રીતની રીત થ ! તારી અને મારી વચ્ચે પ્રીતનો જે અખંડ દોર છે, તે કોઈનેય જાણે નગમતો નથી ! સૌ અને ખંડિત કરવા કટિબદ્ધ થયા છે. મા કહે છે : ‘બેટા, મારાથી અધિક વાત્સલ્ય તેં ક્યાં દીઠું ?' પિતા કહે છે : ‘મારા લાલ ! મારાથી અધિક તારે કોણ ?' ભગિની અને ભ્રાતા સ્નેહભીનાં હૈયે ગળે બાઝ્યાં છે. સખી તો ચરણોમાં પડી આંસુથી પગનું પ્રક્ષાલન કરતાં કહે છે : ‘મારા દેવ ! મને મૂકીને ક્યાં જાવ છો ? મેં તો તમારા પાવન પગલે મારું જીવન ન્યોછાવર કર્યું છે !' તારા વિના મારું કોણ ?' આખું જગત આમ પ્રલોભન ધરી કહે છે : ‘તું એને મૂકી આવ. અમે તારો સત્કાર કરીશું, પૂજા કરીશું, તારા ચરણે અમે અમારું સર્વસ્વ ધરીશું.' જગત આઠેય પ્રહર જુદા જુદા સ્વરૂપે આવી આવી વાતો કરી મને બોલાવી રહ્યું છે, ફોસલાવી રહ્યું છે. મને તારાથી વેગળો થયેલો જોવા આ વિશ્વ કેટલું ઝંખી રહ્યું છે ! બીજી બાજુ તું માત્ર એક છે; અને તુંય પાછો કેવો પ્રશાન્ત ! બોલાવું તો બોલે ના, હસાવું તો હસે ના, સત્કારું તો આવે ના. આ તે તારી કેવી રીત ! મારા મિત્ર ! તારે માટે તો આખા જગતને મેં તરછોડ્યું તોય તું મારી ઉપર એક કરુણ નજર પણ કરે ના ? ૪૪૮. એક તણખો થ ! મારો આત્મા જ્યારે તારા નાદથી મત્ત બન્યો ત્યારે જગત મને ન ભોજન માટે નિમંત્રવા આવ્યું છે. ભગવાન ! જગત આ નથી જાાતું, પણ તું તો જાણે છે કે હું ભોજનના ટુકડાઓનો ભૂખ્યો નહિ, પણ તારા પ્રેમરસનો તરસ્યો છું; અને એ રસના જામ જ્યારે તારી પાસેથી ભરીભરીને મળતા હોય ત્યારે એ રસભર પ્રસંગને હું કેમ તજી શકું ? દેવ ! તું મને કહીશ કે હું સ્વાર્થી છું; પણ પ્રભો ! આ વિશ્વમાં કોણ સ્વાર્થી નથી ? સ્વનો અર્થી જ આત્માનો અર્થ જ તારા પ્રેમરસને પાત્ર Jain Education International ܀ - ૧૨૬ ઃ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy