SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬. વિચાર કબાટનાં ખાનાંમાં નકામી વસ્તુઓ ઠાંસી ઠાંસીને ભરી રાખી હોય તો પછી એમાં સુંદર વસ્તુ ગોઠવવા જેટલી જગ્યા રહેતી નથી અને પરાણે જ્યાં ત્યાં ગોઠવીએ તો એ કચરામાં મૂલ્યવાન વસ્તુ ક્યાંય અટવાઈ જાય, માટે આપણા મગજના ખાનામાં પહેલેથી જ સુગંધભર્યા સુંદર વિચારો ગોઠવીએ કે જેથી નકામાને માટે જગ્યા જ ન હોય. ૪૩૭. અપ્રામાણિક અપ્રામાણિક અને શિયળહીન માનવીને ખસથી સડેલા, દુર્ગન્ધવાળા કૂતરાની ઉપમા અપાય છે. કૂતરાની પેઠે આવા માણસને પણ કોઈ પોતાના આંગણામાં આવવા દેતું નથી. અને જો અજાણતાં આવી જાય તો એને કોઈ પ્રેમથી પડખામાં તો બેસાડતું નથી જ. ૪૩૮. અનુભવ તમે મને મારા જીવનપંથના અનુભવોનું વર્ણન કરવા કહો છો અને એમાંથી પ્રેરણા મેળવી, તમે તમારા જીવનની સમસ્યાઓને ઉકેલવા માંગો છો? તો જરા ઊભા રહો; મારા અનુભવોમાંનો એક મહત્ત્વનો અનુભવ કહું; આપણે કોઈનો અનુભવ, કોઈની વિશિષ્ટતા કે ખાસિયત ઉધાર લેવાની જરૂર નથી. જીવનપંથમાં આગળ વધવા માટે આ ત્રણ વાતની આવશ્યકતા છે : સંયમ, આત્મવિશ્વાસ અને પળેપળની જાગૃતિ. ૪૩૯. અણુ વસ્તુ નાની છે એટલે એની કિંમત તમારે મન કાંઈ જ નથી પણ એક નજર તો અહીં નાખો ! આ નાનકડા આગના તણખાએ આખા વનને રાખની ઢગલીમાં ફેરવી નાંખ્યું. આ નાનકડા છિદ્ર આ મહાનીકાને સાગરમાં જળસમાધિ લેવરાવી. આ નાનકડા બીજે વડ બની આ વજ જેવી દીવાલને પણ ચીરી હંસનો ચારો જ ૧૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy