SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સૌને ગમે છે પણ એને કટુતાના પાત્રમાં પીરસશો તો એને કોઈ નહિ ઝીલે. તમારે સત્ય જો પીરસવું હોય તો પ્રિયતાના પાત્રમાં પીરસો ને ! તો આ પથ્ય સત્યની મીઠાશ માણી શકાશે. ૪૩૩. અંદર શોધ હે માનવ ! તું બહાર શું શોધે છે ? અંદર આવ. જેને તું પાપાત્મા કહી ધિક્ક.રે છે ન જેનાથી તું દૂર ભાગે છે, તે તારા હૃદયમંદિરના વામ ખંડમાં સંતાયેલો છે : અને જેને તું પુણ્યાત્મા કહી પૂજે છે ને જેના સાંનિધ્ય માટે તું ઝંખે છે, તે તારા હૃદયમંદિરના જમણા ખંડમાં પોઢે છે. માટે કર વાત્સલ્યનો નાદ ! જેને શોધે છે, એ તારી સામે સાક્ષાત્ ખડો થશે. ૪૩૪. સંયમની પૂજા દેવમાં સંયમની ઊજળી ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે. નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી જ્યોત એ સંયમનું પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણોમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ કહેવા કરતાં સંયમની પૂજારણ કહેવામાં નારીનું ઔચિત્ય અને ગૌ૨વ બન્ને જળવાય છે. ૪૩૫. અનુભવનાં વેણ જ્યાં સુધી માનવીને માથે વિપત્તિ નથી આવી ત્યાં સુધી એ એમ કહી શકે છે : ‘એમાં તે શી મોટી વાત છે ? વિપત્તિનો સામનો હસતા મુખે કરવો જોઈએ.' પણ જ્યારે વિપત્તિએ ખરેખર એને ત્યાં મુકામ કર્યો હોય ત્યારે જો આ વાક્ય આત્મશ્રદ્ધાપૂર્વક બોલાય તો આ સામાન્ય વાક્યની કિંમત ઋષિવાક્ય કરતાં પણ અનેકગણી પ્રેરણાદાયક બની જાય. Jain Education International ૧૧૮ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy