SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નાંખી. આ નાનાશા અણુઓના બોમ્બે હીરોશિમા અને નાગાસાકીનો નાશ કરી દીધો છતાં નાની વસ્તુનું મૂલ્ય તમારે મન કાંઈ જ નથી ? તો પછી રળિયાન મહંતો મહંયાન” એવો આત્મા કેમ સમજાશે ? ૪૪૦. કાન્તિ ક્રાન્તિ થઈ રહી છે, માનવતાનો ધરમૂળથી ફેરફાર થઈ રહ્યો છે. માનવતાને દૂર ફગાવી, ઝડપથી, શોષણથી યુદ્ધ તરફ ધસવું એનું નામ કાન્તિ? માણસ આજે બાહ્ય દૃષ્ટિએ બે ડગલાં આગળ દેખાય છે, પણ આંતરિક દૃષ્ટિએ તો એ ચાર ડગલાં પાછળ પડી રહ્યો છે, અને તેથી જ એક ઠેકાણે અન્નકૂટ દેખાય છે, ત્યારે બીજી બાજુ અનાથ માનવ અન્ન વિના રિબાઈને મરી રહ્યો છે...રે, ક્રાન્તિ ! ૪૪૧. ભાવના પ્રાણીમાત્રના જીવનમાં ભાવના અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા જ માટે ચિન્તકો માણસના સ્થૂલ કાર્યને નથી જોતા, પણ એની પાછળ કામ કરતી સૂક્ષ્મ ભાવનાને અવલોકે છે. કાર્ય એક જ હોય છતાં ભાવના ભિન્ન હોય તો પરિણામ જુદું જ આવે. બિલાડી જે દાંતથી પોતાના બચ્ચાને પકડે છે, એ જ દાંતથી ઉંદરને પણ પકડે છે; પણ એમાં અંતર આકાશનું અને પાતાળનું છે. એકમાં રક્ષણની ભાવના છે; બીજામાં ભક્ષણની. એકમાં વહાલ છે, બીજામાં વિનાશ ! ૪૪૨. સચ્ચાઈનું સંગીત જે માણસ પોતાના કાર્યક્ષેત્રમાં કુશળ અને સાચો હોય તો તે વિશ્વના ગમે તે સ્થાનમાં સફળતા મેળવી શકે છે. આપણા પ્રત્યેક કાર્યમાં સચ્ચાઈનું મધુર સંગીત ભરશું તો તે ચારે બાજુ ગુંજ્યા વિના રહેશે ખરું ? સચ્ચાઈનું સંગીત બીજાના મનને ભરતા પહેલાં ગાનારના દિલને ભરે છે. ૧૨૦ - મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy