SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ જ હોવી જોઈએ. શા માટે ? આત્માના પ્રકાશનું એકાદ સુંદર કિરણ પામવા. ૩૯૮. અજ્ઞાનનાં અંધારાં અંધકારને ઉલેચવાનો માર્ગ એક જ છે અને તે એ છે કે ત્યાં પ્રકાશને લાવવો. પ્રકાશની હાજરી થતાં જ અંધકાર આપોઆપ અદૃશ્ય થઈ જશે. આમ, અજ્ઞાનને ટાળવાનો માર્ગ પણ એક જ છે અને તે એ કે ત્યાં જ્ઞાનને લાવો. જ્ઞાન આવતાં, અજ્ઞાન એની મેળે અદૃશ્ય થઈ જશે. ૩૯૯. પ્રભુનું મિલન તમે પ્રભુને મિત્ર માનો છો કે દુશ્મન ? મિત્રને ત્યાં જતાં માનવીને કેવો આનંદ થાય, તેવો આનંદ આ દુનિયાને છોડી પ્રભુને ત્યાં જતાં તમને થાય છે ખરો ? જો એમ ન થતું હોય તો જાણજો કે પ્રભુને મિત્ર ગણવાની તમારી માન્યતામાં અને વાસ્તવિક હકીકતમાં કાંઈક ફેર છે. ૪૦૦. શ્રવણ ܀ કાનનું કે મનનું ? તમે કા`થી સાંભળો તો સાંભળતી વખતે એ સારું લાગે અને સાંભળો તેટલી જ પળ તમને એ યાદ રહે; આનું નામ તે સામાન્ય શ્રવણ. પણ મનનું શ્રવણ તો અસામાન્ય છે. એને સાંભળ્યા પછી ચિત્તમાં એ ગુંજાવર ભરી દે છે ને સ્વપ્નમાંય ગુંજી ઊઠે છે. પૂછું ? તમારું શ્રવણ કર્યું છે કાનનું કે મનનું ? - Jain Education International ૪૦૧. આત્માર્થીનાં મોતી મરજીવા માણસો, સાગરમાં ડૂબકી મારીને જીવના જોખમે પણ તળિયે રહેલાં મોતીને જેમ શોધી કાઢે છે તેમ, આત્માર્થી માણસ જીવનના ઊંડાણમાં ૧૦૬ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy