SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોની કિંમત પણ કંઈ જ નથી. વ્રત તો શોભે છે, શિયળ અને સદાચારના અલંકારથી. ૩૯૪. રત્નનાં પારખાં રત્નની કિંમત કોણ કરી શકે ? ઝવેરી હોય તે, તેમ, માનવજીવનની મહત્તા કોણ સમજી શકશે ? જેનામાં સમ્યગ્દૃષ્ટિ હશે તે. માટે હે માનવી ! આજે અને અત્યારે જ એ દૃષ્ટિ કેળવ. ૩૯૫. સંયમની ઢાલ ભગવાન મહાવીર કહે છે : કાચબો જેમ ભય આવતાં પોતાની ઇન્દ્રિયોને સંકેલી લઈ, પીઠની ઢાલ નીચે બેસી પોતાનું રક્ષણ કરે છે તેમ પ્રાજ્ઞ માણસ પણ વિષયોના પ્રલોભન ટાણે, પોતાની ઇન્દ્રિયોને ગોપવી, સંયમની ઢાલ નીચે પોતાનું રક્ષણ કરે છે. ૩૬. મનનું તપ માટીના કાચા ઘડાને પરિપક્વ કરવા એને અગ્નિમાં મૂકવો પડે છે. એ તાપથી એ મજબૂત થાય છે તેમ, મનને પણ પરિપક્વ કરવા, તપ અને તિતિક્ષાના અગ્નમાં એને મૂકવું પડે છે. તપના અગ્નિથી જ એ મજબૂત અને શક્તિશાળી બને છે. ૩૯૭, ધર્મોની ઝંખના ધૂળધોયાની ધીરજ જોઈ છે ખરી ? ધૂળની આખી ટેકરીને એ ધોતો જાય છે, ગામ આખાની ગટ૨માં વહેતી ધૂળ પાછળ એ શ્રમ કરે છે. શા માટે ? સોનાની એકાદ નાની શી કણી મેળવવા. તેમ, ધર્મીની ધીરજ પણ એવી Jain Education International પ્રેરણાની પરબ ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy