SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. એને માટે તો બીજાની સહાય જ લેવી પડે છે. આવી જ રીતે, મનુષ્યનું મન બધાના વિચાર કરે છે પણ પોતાનો વિચાર એ નથી કરી શકતું. આ માટે તો જ્ઞાનીની સહાયથી કે એમની પુણ્યજ્યોતથી એણે એના મનમાંના કણાને દૂર કરવું પડે છે. ૩૮૨. કીડીની કામના સાકરના પાણીમાં પડેલી કીડી ડૂબતી, મૂંઝાતી, તરફડતી હોય છે ને મડદા જેવી થઈ જાય છે, પણ બહાર નીકળતાં અને જરાક સ્વસ્થ થતાં પાછી એ પાણી તરફ જાય છે. માનવીનો જીવ પણ આમ વિષયોની તૃપ્તિમાં દુઃખ આવતાં જરાક વાર વૈરાગી બને છે, પણ દુઃખ જતાં પાછો ભોગ તરફ એ ધસે છે. માનવીની કામનાની આ કેવી કરુણતા છે ? ૩૮૩. સમતાનું હવામાન પાણીમાં એક કાંકરી પડે તોય કુંડાળું ઊભું થાય છે, કારણ કે પાણી પ્રવાહી છે; પણ ઠંડીથી જ્યારે એ જામી જાય છે ત્યારે પથ્થર નાખો તોય એને કાંઈ થતું નથી. આપણા મનમાં પણ આવું છે. મનની આવી ચંચળ પ્રવાહિતાને ટાળવા અને તેને ઠારવા સમતાનું હવામાન ઊભું કરો અને પછી અનુભવો કે સમતા કેવી વીતરાગતા સર્જે છે ! ૩૮૪. સંસ્કારનું સૌંદર્ય જુવારનો રંગ કેવો ફીકો, પીળો હોય છે; આકર્ષણ વગરનો હોય છે ! પણ અગ્નિના સંયોગથી એનો સંસ્કાર થતાં એ ધાણી બને છે. પછી એની શ્વેતતા અને ષટ્કોણ આકાર કેવા મનોહર બને છે ! આત્માનો પણ આમ જ્ઞાન તથા ક્રિયાના સંયોગે સંસ્કાર થાય તો એ પણ પરમાત્મા બને છે; અપૂર્ણતામાંથી પૂર્ણતાને પામે છે. ૧૦૨ - મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy