SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮. ધર્મ-બૅન્ક બૅન્કમાં જમા કરેલા પૈસા જેમ જરૂર વખતે આ લોકમાં કામ લાગે છે, તેમ દાન, શિયળ, તપ અને ભાવમાં જમા કરેલાં તન, મન અને ધન પરલોકમાં કામ લાગે છે. દુન્વયી બેન્કને તો ક્યારેક ડૂબવાનોય ભય છે, જ્યારે આ ધર્મશાસનની બૅન્ક તો ત્રણ કાળમાં શાશ્વત અને સલામત છે. માટે તમારું જીવનધર્મનું ધન એમાં મૂકો. ૩૭૯. તાજૂડીની પ્રાર્થના દુષ્કાળ આવ્યો અને લોકોનાં રુદન શરૂ થયાં, પ્રાર્થનાઓ થઈ પણ મેઘરાજે એ ન સાંભળી. પછી પાઈ-પૈસાનો વેપાર કરનાર પેલો વેપારી ઊભો થયો. કહે: ‘હે પ્રભુ, હું જો આ ત્રાજવાને વફાદાર રહ્યો હોઉં તો આજ વ૨સી નાખજે.' અને મેઘ તૂટી પડ્યો. કારણ ? પળપળની એની પેલી તાજૂડી એની પ્રાર્થના બની ગઈ હતી. આનું નામ સાધના. ૩૮૦. મનની નિર્મળતા પાણી નિર્મળ હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય, પણ એના પર જો લીલ છવાઈ ગઈ હોય તો પ્રતિબિંબ કેમ દેખાય ? તેમ મન પણ જો નિર્મળ હોય તો જ એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે; તેના પર મેળ અને મેલની લીલ જામી ગઈ હોય તો એ પ્રતિબિંબને કેમ ઝીલી શકે ? માટે જ તો નિર્મળતા આવશ્યક છે. ૩૮૧. જ્ઞાનીની પુણ્યજ્યોત આંખમાં ઘણી શક્તિઓ હોવા સાથે એક મોટી અશક્તિ પણ છે - તે બધાંને જુવે છે, પણ પોતાની આંખના કણાને જોઈ શકતી નથી, કાઢી શકતી Jain Education International પ્રેરણાની પરબ ૧૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy