SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫. મનની વિચિત્રતા માનવનું મન કેવું વિચિત્ર છે ! એની પાસે જે ભરેલું છે એની એને કિંમત નથી, અને એની પાસે જે નથી તેને માટે એ વલખાં મારે છે. અંતરનો આત્મપ્રકાશ ભૂલી એ ક્યાં સુધી સંસારના અંધકારમાં ઘૂમ્યા કરશે ? ૩૮૬. આત્મજ્ઞાન વજના પ્રહારથી બે ભાગમાં વહેંચાયેલો પર્વત જેમ ફરીથી સંધાતો નથી, એમ જે માણસ એના સમ્યગુલ્લાનથી આત્માને અને કર્મને જુદા પાડી શકે છે, એના પર કર્મની કાંઈ જ અસર ફરી થઈ શકતી નથી. - ૩૮૭. જ્ઞાનનો પ્રકાશ સૂર્યનાં દર્શનની જેમ, કઈ વસ્તુ ક્યાં છે એનું દર્શન થાય છે, તેમ આત્મજ્ઞાનના પ્રકાશથી જીવનમાં કઈ વસ્તુ ક્યાં છે, તેનું દર્શન થાય છે, એને સંસારથી છોડવા અને ગ્રહણ કરવા લાયક વસ્તુનું ભાન થાય છે. માટે આત્મજ્ઞાનનો એ પ્રકાશ મેળવો. ૩૮૮. જીવનની જ્યોત દિવેલિયામાં તેલ હોય તો જ દીપક સારી રાત જલે છે; તેલ ખૂટતાં એ બુઝાઈ જાય છે. ગૃહસ્થાશ્રમમાં પણ જો સંયમનું દિવેલ હોય તો જ એની જ્યોત જલતી રહે છે. સંયમનો ત્યાગ એટલે જીવન-દીપકનો હાસ-નાશ. ૩૮૯. સંયમનું સુપાત્ર સિંહણનું દૂધ જેમ સુવર્ણના પાત્રમાં જ રહી શકે છે ને બીજા પાત્રમાં પ્રેરણાની પરબ - ૧૦૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy