SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કે જેનો છેડો ન હોય; અને તેથી, સુખના એ દિવસની પ્રતીક્ષા કરતાં; હિંમતપૂર્વક સદાચારી જીવન જીવ્યા કરવું એમ પણ મજા છે. ܀ ૩૭૦. તપ અને ભક્તિ વિચારું છું કે ઉનાળાના ધોમ તાપમાં પણ આ વૃક્ષ આવું લીલું કેમ રહી શકે છે ? હા, કારણ કે તે ઉપરથી જેમ સખત તાપ સહન કરે છે, તેમ ધરતીની અંદરથી રસ ચૂસે છે. આમ માણસ પણ લીલો ત્યારે જ રહે, જ્યારે એ બહારથી તપ કરે અને અંદરથી આત્મામાંથી ભક્તિરસનું પાન કરે. - ૩૭૧. રાતરાણીનાં ફૂલ અંધારી મેઘલી રાતે પણ રાતરાણીનાં પુષ્પો એની સૌરભથી આખા બાગને જેમ મઘમઘાવી દે છે, તેમ સમાજના સેવકોએ, સાધુઓએ અને શિક્ષકોએ આ સંસાર-ઉદ્યાનને એમનાં તપ, સંયમને તિતિક્ષાનાં પુષ્પ-પરિમલથી ભરી દેવાનું છે. ૩૭૨. માણસ આપે છે ? ધૂપ પોતે સળગીને, દુર્ગંધને દૂર કરી સુગંધ ફેલાવે છે; લાકડાં જાતે બળીને, ટાઢને હઠાવી ઉષ્મા આપે છે; શેરડી કોલુમાં પિલાઈને મીઠો ૨સ આપે છે. આ બધાં કરતાં માણસ તો શ્રેષ્ઠ છે. છતાં એ જગતને કાંઈ આપ્યા વિના જાય તો ? Jain Education International 393. ચારિત્રની સુવાસ ચારિત્ર એ અત્તરના પૂમડા જેવું છે. જેની પાસે એ હોય તેને તો એની સુવાસ મળે જ છે, પણ તેના સમાગમમાં જે આવે તેનેય એ પોતાની સુવાસ પ્રેરણાની પરબ * ૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy