SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬. આનંદનાં અંજન ભૂલ તો થઈ જાય, પણ થયેલી ભૂલને ભૂલરૂપે સમજી, એને ધોવા માટે જે આંખ આંસુ વહાવે છે તે જ અંતે આનંદનાં અંજન પામે છે પણ ભૂલ કરવા છતાંય જે આંખ આનંદથી હસે છે તે તો છેવટે આંસુનાં જ અંજન પામે ને ? ܐ ૩૪૭. શાને લેપાઉં ? કમળને મેં પૂછ્યું : ‘તારા જીવનનું રહસ્ય શું ? કીચડમાં જન્મવા છતાં સ્વચ્છ સૌન્દર્યથી હસી રહેલા કમળે કહ્યું : ‘નિર્લેપતા.’ ܀ ૩૪૮. ડર્યાં તે મર્યો તમારી મુશ્કેલીઓ વચ્ચે, તમારી વિપત્તિઓ વચ્ચે તમે ‘અરેરે’કહીને બેસી જશો એટલે શું તે બધી આપત્તિઓ ટળી જશે ? આવા વખતે તમારી દીનતાને છોડી પુરુષાર્થને ક ન અજમાવો ? પવન તો વીંઝણામાં છે જ પણ તેને વીંઝયા વિના તે કેમ મળે ? ૩૪૯. જીવનનું ધ્યેય ગાડીમાં જેમ શૉક અબ્સૉર્બર હોય તેમ જીવનમાં આવતા આંચકાને ઝીલી લે એવી કોઈક ફિલસૂફી હોવી જોઈએ. કાળજી રાખવા છતાંય જિંદગીના માર્ગ પર વેગથી ગતિ કરતા આ વાહનને ક્યારેક ધક્કો લાગવાનો જ. Jain Education International ૩૫૦. તપની સુવાસ તપ એટલ સહનશીલતા. સુખડને જેમ જેમ ઘસીએ તેમ તેમ શીતળતા અને સૌરભ મળે. એવી જ રીતે આપણા દેહને, આપણી જાતને કોઈ શુભ ૯૦ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy