SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨. સમયનો ઉપયોગ તમારો આજનો એક દિવસ કઈ રીતે પસાર થાય છે ? એ જો બરાબર નિરીક્ષણ કરી શકતા હો તો તમારી જિંદગી કઈ રીતે પસાર થશે, તે તમે બરાબર કલ્પી શકો છો, કારણ કે દિવસના ગર્ભમાં મહિનો છુપાએલો છે ને મહિનામાં વર્ષ અને વર્ષના ગર્ભમાં જિંદગી ! ૩૪૩. ભેદજ્ઞાન આપણા આત્મા અને પરમાત્માની વચ્ચે સ્વરૂપની દૃષ્ટિએ ભેદ નથી. જેમ ખાણનું સોનું અને બજારમાં વેચાતું સોનું, સોના સ્વરૂપે તો એક જ છે. ફેર એટલો છે કે વેચાતું સોનું શુદ્ધ થયેલું છે. ખાણનું હજુ શુદ્ધ થવાનું છે. પરમાત્મા કર્મના આવરણથી મુક્ત છે, આત્મા કર્મથી યુક્ત છે આ વિવેક જાગે તો આત્મા પણ કર્મમળથી મુક્ત થઈ પરમાત્માનો આનંદ માણી શકે. ૩૪૪. પ્રેમનો શબ્દ ઈશ્વરનાં બે પાસાં છે : શબ્દ અને પ્રેમ. શબ્દ કરે છે પ્રભુની અભિવ્યક્તિ, તો પ્રેમ કરાવે છે અનુભૂતિ. આ સત્ય આપણા હૈયાને અજવાળતું રહે તો શબ્દ અને પ્રેમને આપણે કેવાં પૂજ્ય અને પવિત્ર માનીએ ! Jain Education International ܀ ૩૪૫. પ્યાસ આત્મા, હૃદય, મન અને તન આ ચારની ભાગીદારી એટલે માનવ. આ ચારે પોષણ માગે છે. તન સાત્ત્વિક ભોજનથી સ્વસ્થ. મન સુંદર વિચારોથી શાન્ત. હૃદય નિર્મળ પ્રેમથી પ્રસન્ન, અને આત્મા પરમાત્માના પ્રકાશથી પુષ્ટ. = પ્રતિબિંબ * ૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy