SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭. અન્વેષણ આજનો પરાજય એ આવતી કાલના વિજયનું ઉષાકિરણ બની જાય, જો પરાજયનાં કારણોનું ગંભીરપણે અન્વેષણ કરવામાં આવે તો ! ૩૩૮. પશુ અને માનવ પશુ અને માનવમાં માત્ર એટલો જ ફરક છે. દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ અને કર્તવ્યની પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ. ૩૩૯. રેતી કે મોતી ? પ્રભાતે રોજ આટલું વિચારો : આખા દિવસના કેટલા કલાક ખાવામાં, ધંધામાં, ધમાલમાં અને નિદ્રામાં જાય છે અને સદ્કાર્ય, સદ્વિચાર અને આત્મસ્મરણમાં કેટલા કલાક જાય છે ! ૩૪૦. અપાયના ઉપાય ક્રોધની આગ સમતાથી શાન્ત થાય. માનનો પર્વત નમ્રતાથી ઓળંગાય. લોભનો ખાડો સંતોષથી પુરાય અને માયાની ઝાડી સરળતાથી વિંધાય. ܀ ૩૪૧. પ્રેમ અને સહિષ્ણુતા કેટલીય વાર અનુભવ્યું છે – ટીકા અને તર્કથી સંસાર શાન્તિથી નથી ચાલતો. જીવનને મધુર બનાવવું જ હોય તો ઘરમાં પ્રેમ અને સહિષ્ણુતાનું સ્વાગત કરવું જોઈએ. Jain Education International ૮૮ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy