SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ હું” મારા વિશિષ્ટ સ્વરૂપને અર્થાત વ્યક્તિમત્તાને સૂચવે છે. જેની દૃષ્ટિએ, સામાન્ય અને વિશેષ ગુણે વચ્ચે નિરપેક્ષ ભેદ નથી તેમજ બે વચ્ચે તાદામ્ય પણ નથી. - બીજુ અર્થઘટન નૈગમ નય કાર્યના લક્ષ્ય સાથે સંબંધિત છે. તત્ત્વાર્થસારમાં નીચે મુજબ ઉદાહરણ છે. એક વ્યક્તિ પાણી, ચેખા અને ઈધણ લઈ જતી હોય છે અને તેને “તે શું કરે છે ?' એમ પૂછવામાં આવતાં તે હું પાછું વગેરે લઈ જાઉં છું” એમ કહેવાને બદલે હું રાંધુ છું -રઈ કરું છું' એ જવાબ આપે છે. આને અર્થ એ છે કે વ્યક્તિની પ્રત્યેક પ્રવૃત્તિ અહીં ખોરાક રાંધવાના લક્ષ્ય દ્વારા નિયંત્રિત છે. ઉત્તર આપતી વેળા તે રસોઈ કાર્ય કરતી નથી પરંતુ તેનું લક્ષ્ય તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં હાજર છે. ત્રણ પેટા૫કારે નૈગમ નયના ત્રણ પેટાપ્રકારો કે ભેદ છેઃ ૧. સંકલ્પ ગમ, ૨. અંશ નૈગમ અને ૩. આરિપ નૈગમ. ૧. સંકલ્પ ગમ બહાર ગામ પ્રવાસે જનાર વ્યક્તિને “શું કરે છે ?' એમ પૂછતાં તે જવાબ આપે છે, “હું મુંબઈ જાઉં છું'. આ નય મુજબ, “કરાતું હોય તે કર્યું” (હિમા કૃતિ ) કહેવાય છે. ૨. અણગમ વ્યક્તિને કપડાંને અગ્નિને તણખે સ્પર્શતાં જરા લખતાં તે “પતાનું કપડું બળી ગયું” એમ કહે છે. એ જ પ્રમાણે, ખુરશીને એક પાયે તૂટી જતાં “ખુરશી તૂટી ગઈ” એમ કહેવામાં આવે છે. આ નય મુજબ, અંશ પરથી સમસ્ત અંગે. કથન કરવામાં આવે છે. ૩. અરેપ બેગમ અહીં કાળારોપ–કાળ પ્રક્ષેપણું છે. એક કાળ પર અન્ય કાળનું પ્રક્ષેપણ છે. (અ) ભૂત નૈગમ: ભૂતકાળમાં બની ગયેલ ઘટનાને વર્તમાનરૂપે વ્યવહાર કર. દા. ત., “તે જ આ દિવાળીને દિવસ છે કે જે દિવસે ભગવાન શ્રી મહાવીર નિર્વાણ પામ્યા હતા.” આ ભૂતકાળને વર્તમાનમાં ઉપચાર છે. શ્રી મહાવીરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy