________________
જૈન તકશાસ્ત્ર
૯૧. નિર્વાણ દિવસ આજના દિવાળીના દિવસે માની લીધેલ છે. (બ) ભવિષ્ય નમઃ ચેખા પૂરા રંધાઈ ગયા ન હોવા છતાં “ચોખા રંધાઈ ગયા” એમ કહેવું અર્થાત ભવિષ્યમાં થનારી વસ્તુને “થઈ ગઈ “કહેવી એ ભવિષ્યદ્ નૈગમ છે. (ક) વર્તમાન મૈમમઃ ચેખા રાંધવા માટે પાણી, ઈધણ વગેરેની તૈયારી કરનાર વ્યક્તિ “હું ચોખા રાંધુ છું” એમ કહે છે ત્યારે તે વર્તમાન નેગમનું ઉદાહરણ છે, કેમકે વર્તમાનમાં ચોખા રાંધવાની ક્રિયા શરૂ થઈ ન હોવા છતાં તે વર્તમાનરૂપે તેનું કથન કરે છે. આ સિવાય પણ બીજા અનેકવિધ આરોપ-પ્રક્ષેપણે છે. સુંદર યુવતીને જોઈને કેઈ કહે, “તે મૂર્તિમંત સોંદર્ય છે કે માતા પિતાની વહાલસોયી પુત્રીને કહે “તું તે મારી આંખનું રતન છે,' તે આ પણ આરોપ ગમમાં અંતર્ગત ઉપચાર નૈગમનાં ઉદાહરણ છે.
(૨) સંગ્રહ નય
આ નય પદાર્થને સામાન્ય વિશિષ્ટ નહીં) ગુણધર્મો સાથે સંબંધિત છે.. દાત., વાસ્તવિકતા એક છે કારણ કે તે સત છે એ સંગ્રહ નયનું વિધાન છે.
આ નય વાસ્તવિકતાના વિશિષ્ટ ગુણે કે પર્યાને બદલે તેને સામાન્ય ગુણધર્મો પ્રતિ ધ્યાન આપે છે. તેનાં શુદ્ધ સ્વરૂપમાં તે “તે છે જેવા સરળ કથન સાથે જ સંબંધિત છે, અહીં પદાર્થ તેના સર્વ વિશિષ્ટ લક્ષણે કે પર્યાથી અલગ રીતે નિર્દેશવામાં આવેલ છે. અન્ય સર્વ કથને એક કે અન્ય રીતે એક કે અન્ય. લક્ષણે સાથે સંબંધિત હોય છે અને એ રીતે સર્વે નો વિષય બને છે.
(૩) વ્યવહાર નય
આ નય પદાર્થના વિશિષ્ટ (સામાન્ય નહીં) ગુણધર્મો સાથે સંબંધિત છે. તેને વિષય સંગ્રહ નયના પદાર્થને એક અંશ–ભાગ જ છે. અહીં સંગ્રહ નયના વિષયનું વિશિષ્ટ રીતે વર્ગીકરણ થાય છે. “સત દ્રવ્ય કે પર્યાય છે' એ વ્યવહાર નયના ઉદાહરણમાં “સ” નું વર્ગીકરણ દ્રવ્ય કે પર્યાયમાં કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત ત્રણ ન-ગમ, સંગ્રહ અને વ્યવહાર ન-પદાર્થોના તાદાભ્ય. (એક્ય) નિહાળવાનું પરિણામ છે. આ નવે સામાન્ય રીતે વાસ્તવિકતાના દ્રવ્ય-પાસાને સમજવાના પ્રયાસ છે અને તેથી આ નય દ્રવ્યાર્થિક ન તરીકે ઓળખાય છે. અન્ય ચાર નો-હજુસૂત્ર શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત ન–વાસ્તવિકતામાંના પર્યાયના દષ્ટિબિંદુથી વાસ્તવિકતાને પૃથક્કરણના પ્રયાસો છે અને તેથી તેઓ. પર્યાયાર્થિક ન તરીકે ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org