________________
જૈન શાસ - નય પ્રમાણને અંશ છે. પ્રમાણ સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે, જ્યારે “નયે તેમાંના અંશને ગ્રહણું કરે છે. એક અંશ સહિત વસ્તુ નયને વિષય છે. પ્રમાણુ એટલે જ્ઞાત વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જ્ઞાન આપનાર “પ્રમાણે છે અને આ જ્ઞાનને પ્રકાશમાં મૂકનાર વાકય પ્રમાણુવાક્ય” છે. વસ્તુના અમુક અંશનું જ્ઞાન આપનાર નય છે અને તે અમુક અંશના જ્ઞાનને પ્રકાશમાં મૂકનાર વાકય બનાવાય છે નય પણ વિચારાત્મક જ્ઞાન જ છે. ૬. નયના પ્રકારે
વસ્તુ કે પદાર્થ અનંત લક્ષણયુક્ત છે અને તેમાંથી અમુક લક્ષણને લગતા અભિપ્રાયની રચનાને “નય” સંજ્ઞા આપવામાં આવે છે. એક જ વસ્તુ પરત્વે વિભિન્ન દષ્ટિબિંદુએથી ઉદ્દભવતા વિભિન્ન યથાર્થ અભિપ્રાય કે વિચારે “નયે તરીકે ઓળખાય છે અને તેથી નય પણ અનંત છે. “નય’ની વ્યાખ્યા વિશિષ્ટ અભિપ્રાય કે દષ્ટિબિંદુ તરીકે આપી શકાય. તે પદાર્થ અંગે આંશિક સત્યની અભિવ્યક્તિ છે.
નયના બે વ્યાપક પ્રકારે છે: ૧. વ્યાર્થિક, અને ૨. પર્યાયાર્થિક. ૧. મૂળ પદાર્થને દ્રવ્ય' કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિક નય એટલે મૂળ પદાર્થ કે સામાન્ય તત્વ પર લક્ષ્ય આપનારા અભિપ્રાય. આ નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે. દા.ત. ઘડે મૂળ દ્રવ્ય (માટી રૂપે) તરીકે નિત્ય છે. સામાન્ય તત્ત્વગામી વિચારદષ્ટિ દ્રવ્યાર્થિક કે કાસ્તિક નય છે. ૨. પર્યાયાર્થિક કે પર્યાયાસ્તિક નય એટલે પર્યાય (જે મૂળ દ્રવ્યનું પરિણામ છે તે) પ્રતિ લક્ષ્ય આપનાર અભિપ્રાય. આ નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે, કારણ કે સર્વે પદાર્થોમાં પરિવર્તન થતું રહે છે.
સામાન્ય રીતે નયના પ્રકારે સાત છે: ૧. ગમ નય, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય, ૪. ઋજુસૂત્ર નય, ૫. શબ્દ નય, ૬. સમભિરૂઢ નય અને ૭. એવદ્ભુત નય.
૧. તેગમ નય
પદાર્થ માત્ર સામાન્ય અને વિશેષ ગુણોને સંકુલ છે. નૈગમ નય પદાર્થનાં આ બંને પાસા પ્રતિ લક્ષ્ય આપે છે. આ નય મુજબ, વિશિષ્ટ વિના સામાન્યને કે સામાન્ય વિના વિશિષ્ટને સમજી શકાય નહીં. દા. ત., હું ચેતનયુક્ત છું' એ વિધાનમાં “ચેતના સામાન્ય ગુણ છે અને તે સર્વે માં સર્વસામાન્ય છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org