SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન કર્મ–બંધ અત્યંત ગાઢ, ગાઢ, મધ્યમ પ્રકારના કે શિથિલ પ્રકારના હોય છે. જૈન શાસ્ત્રો અત્યંત ગાઢ કર્મ–બંધ પ્રકારને “નિકાચિત' એવું નામ આપે છે અને આ કર્મ પ્રાયઃ અવશ્ય ભેગવવું પડે છે, જ્યારે શેષ પ્રકારનાં કર્મો ભાવના અને સાધનાના પર્યાપ્ત બળથી ભગવ્યા વિના પણ છૂટી શકે છે. ૭, સંવર (Prevention of Influx of Karma) સંવર’ શબ્દ સંસ્કૃત સં+શ્વ એટલે રોકવું –અટકાવવું પરથી ઉદ્દભવેલ છે. આમ, સંવર એટલે આશ્રય(કર્મબંધ પ્રવૃત્તિ)ને નિરધ. સંવર આશ્રયનું વિરોધી છે. તે પ્રવેશતાં કર્મને અટકાવે છે. સંવર દ્વારા નવીન કર્મોનું ઉપાર્જન રોકાય છે, જ્યારે પુણ્ય દ્વારા શુભ કર્મો બંધાય છે. આ રીતે, સંવર અને પુણ્ય વચ્ચે તફાવત છે. સંવરના પણ બે પ્રકારે છે : (૧) ભાવસંવર, અને (૨) દ્રવ્ય-સંવર. આ પ્રકારે તેના આંતર-બાહ્ય સ્વરૂપને આધારે પાડવામાં આવે છે. ભાવાશ્રવના નિયંત્રણના કારણરૂપ ચેતનાનું રૂપાંતર ભાવસંવર છે; જ્યારે દ્રવ્યાનું નિયંત્રણ દ્રવ્ય-સંવર છે. ‘દ્રવ્યસંગ્રહ' નામક ગ્રંથ સંવરના પ્રકારે નીચે મુજબ દર્શાવે છે: ૧. વ્રત (vow) ૨. સમિતિ (carefulness), ૩. ગુ4િ (restraint), ૪. ધર્મ (observance), ૫. અનુપ્રેક્ષા (meditation), ૬. પરીષહ જય (victory over troubles), ૭. ચારિત્ર (conduct). આ પ્રત્યેકને પણ પેટાપ્રકારે પાડવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્ર “ત્રત’ને પ્રકાર તરીકે નિર્દેશતું નથી, પરંતુ તેના સ્થાને તપને નિર્દેશ છે. :૮, નિજ (Partial Annihilation of Karma) નિર્જરા એટલે બદ્ધ કર્મોને ક્રમશઃ ક્ષય. નિર્જરા એટલે નિર્જરણ કરવું, જરાવી નાખવું. નિર્જરા આત્મા સાથે સંલગ્ન એવાં કર્મોને આંશિક-અપૂર્ણ ક્ષય છે. આંશિક કર્મક્ષય દ્વારા થતું આત્માનું રૂપાંતર ભાવ-નિર્જરા કહેવાય છે, જ્યારે આ ક્ષય સ્વયં દ્રવ્ય-નિર્જરા કહેવાય છે. નિર્જરાના બે પ્રકારે છેઃ (૧) સકામ (અવિપાક) નિર્જર, અને (૨) અકામ (સવિપાક) નિર્જરા. (૧) સકામ (અવિપાક) નિર્જ રા આ પ્રકાર તપ, ધ્યાન વગેરે દ્વારા બુદ્ધિપૂર્વક પૂરગામી કર્મબંધને ક્ષય છે. જેવી રીતે વૃક્ષનાં ફળે ઉપાય દ્વારા પણ જલદીથી પકવવામાં આવે છે તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy