SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વવિજ્ઞાન રીતે અહીં કને ફળભાગ પહેલા જ તપશ્ચર્યા સાધના દ્વારા કર્મને પકવીને ક્ષીણુ કરવામાં આવે છે. (ર) અકામ (સ.વેપાક) નિરા અકામ નિર્જરામાં કેટલાંક કર્માં સ્વયં તેની અવધિ (મુક્ત) પૂર્ણ થતાં ઈચ્છા વગર જ આપે!આપ ખરી પડે છે. જેવી રીતે વૃક્ષનાં ફળ સ્વતઃ સમય જતાં વૃક્ષ પર પાકે છે તેવી રીતે કેટલાંક કર્મો સ્વતઃ અર્ધ પૂર્ણ થયે પાકી જઈ ભગવાઈ જઈ ખરી પડે છે. આમ કના નિર્દષ્ટ ફળભાગ બાદ સ્વાભાવિક કર્મ -ય વિપાક કે અકામ નિર્જરા છે. ૯. મેાક્ષ (Liberation or Total Annihilation of Karma) મેક્ષ એટલે સ ફર્મના સર્વોથા ક્ષય (મર્મજ્ઞો મોક્ષ ) કર્મીને સંપૂર્ણ ક્ષય થતાં જીવ સંસારચક્રમાંથી મુક્ત થાય છે. મેાક્ષ એ કઈ ઉત્પન્ન થનાર વસ્તુ નથી. જેવી રીત દર્પણુ માંજવાથી ઉજ્જવળ થઈ ઝગમગે છે તેવી રીતે આત્મા તેને ક-મેલ ધોવાઈ જતાં ઉજ્જવળ થઈ પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. જેવી રીતે વાળાં ખસી જતાં ઝળહળતા સૂર્ય પ્રકાશમાન થાય છે તેવી રીતે કનાં આવરણે ખસી જવાથી આત્માના સકળ ગુણે પ્રકાશમાન થાય છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપે-જયોતિમય ચિસ્વરૂપે પૂર્ણ પ્રકાશમાન થાય છે. સંપૂર્ણ ક ક્ષયના કારણરૂપ આત્માનું રૂપાંતર ભાવ- ક્ષ કહેવાય છે અને કર્મ –પુદ્ગલની વાસ્તવિક અલગતા દ્રવ્ય-પાક્ષ કહેવાય છે. આ અવસ્થા પ્રાપ્ત થનાં આત્મા પુનઃકદી પણ બહુ થતા નથી. दग्धे चीजे यथां यन्त प्रादुर्भवति न कुङ । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङकुरः ॥ ૭૭. જેવી રીતે બીજ બરાબર બની ગયા પછી કુરૈશ ઉત્પન્ન થતા નથી તેવી રીતે કરૂપી બીજ સથા બળી ગયા બાદ સસારરૂપી અંકુરો ઉત્પન્ન થતા નથી.'' ઉમાસ્વાતિ આગળ દર્શાવે છે તેમ, “જ્યારે સર્વોપ્રધમ વ્યક્તિનાં માહનીય કર્મા, ત્યારબાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મીને ક્ષય થાય છે ત્યારે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.” વળી, તત્ત્વાર્થ સાર (૧૦.૧.૩) દર્શાવે છે તેમ, “કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ, બંધ ઉત્પન્ન કરતાં કારણની ગેરહાજરી અને નિર્જરાની હાજરીને લીધે, વ્યક્તિ સમય જતાં રોષ કર્મા (દા. ત. વેદનીય, આયુ, નામ અનેગાત્ર)થી મુક્ત થાય છે અને કર્મીના સર્વ પ્રકારાથી વાંચિત થતાં તે અંતિમ મુક્તિ પ્રાપ્ત કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy