________________
૭૪
-જેના દર્શને (ધ, માન, માયા, લોભ જેવી માનસિક પ્રવૃત્તિઓ) દ્વારા કર્મોપાર્જન કરે છે. જ્યારે આત્મા કોઈપણ પ્રવૃત્તિ કરે છે ત્યારે પિતાની આસપાસ રહેલા કર્મોગ્ય પરમાણુઓને આકર્ષે છે, અર્થાત કર્મરૂપે ગ્રહણ કરે છે. આ પ્રક્રિયા “આશ્રવ છે.
(૨) આશ્રવ અને પુણ્ય-પાપ
પુણ્ય અને પાપ અનુક્રમે શુભ અને અશુભ આશ્રવ છે. શુભ યોગ પુણ્યને આશ્રવ છે અને અશુભ ગ પાપને આશ્રવ છે, ધ, માન, માયા અને લોભ આત્માને દૂષિત કરનાર ચાર કષાયે (મલિન ભાવ) છે.
(૩) પ્રકારે આશ્રવના બે પ્રકારે છે : (૧) ભાવાશ્રવ અને (૨) દ્રવ્યાવ. (૧) ભાવાશ્રવ: આત્માની પ્રવૃત્તિ બાવાશ્રવ છે. (૨)કવ્યાશ્રવ : આત્મામાં પ્રવેશતું કર્મ-પુદગલ દ્રવ્યાશ્રય' છે.
આ રીતે ભાવાશ્રવ પ્રિવૃત્તિ સિવાય કંઈ નથી, જ્યારે “દવ્યાશ્રવ’ વિશિષ્ટ પ્રકારનું પુદ્ગલ છે. ઉમાસ્વાતિ આવા ભેદ ન પાડતાં આશ્રવને મન-વચન-કાય-નું કાર્યો માને છે. ૬. બંધ (Bondage due to Karma)
આત્મા અને કર્મ-પુગલ વચ્ચેના ક્ષીર–નીર સમા ગાઢ સંબંધને બંધ” કહેવામાં આવે છે. રાગ-દ્વેષ બંધનું મૂળ કારણ છે. તેને લીધે કમપરમાણુઓ આત્મા સાથે સંલગ્ન થાય છે. આત્મા સાથેની કમગલોની સંલગ્નતા બંધ” કહેવાય છે.
બંધના ૪ પ્રકારે છે: (૧) પ્રકૃતિબંધ (nature-bondage), (૨) પ્રદેશ -"44. (particle-bondage), (3) Reis (duration-bondage), (૪) અનુભાગ–બંધ (intensioly bondage).
૧. પ્રકૃતિ-બંધ (Nature Bondage)
પ્રકૃતિ-બંધ આત્માની પ્રવૃત્તિને લીધે પુલનું કર્મ-પુગલમાં રૂપાંતરનું પરિણામ છે. બદ્ધ પરમાણુઓની વિભિન્ન સ્વભાવરૂપ પરિણતિને અર્થાત વિભિન્ન કાર્યરૂપ ક્ષમતાને પ્રકૃતિબંધ કહે છે.
૨. પ્રદેશ અધ (Partical Bondage)
પ્રદેશબંધ તાર્કિક રીતે બીજો પ્રકાર છે. પ્રદેશબંધ એટલે બદ્ધ પરમાણુઓને સમૂહ. એક વાર વિવિધ કર્યપ્રકારો જીવ પર પ્રભાવ પાડે કે તુરત જ કર્મપગલે આત્માના વિભિન્ન પ્રદેશ રાકી લે છે અને તેને માટે વાસ્તવમાં કર્મજંજીરોમાંથી છટકવું અશક્ય બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org