________________
જૈન લગવિજ્ઞાન
(૭) પાપનાં ઉદાહરણા અને પરિણા
પંચત્રતા (અહિંસા-સત્ય-અસ્તેય બ્રહ્મચર્ય -અપરિગ્રહ)નું પાલન ન કરવાથી અને અસમ્યગ દર્શન તેમજ જ્ઞાનથી પરિણમતાં કર્મો અશુભ કર્મો છે. આ વ્યક્તિમાં અસાતાવેદનીય અનુભવ (દુ:ખની લાગણી), અશુભ આયુષ્ય, અશુભ નામ (શરીર) અને અશુભ ગાત્રનાં પરિણામા-આવિષ્કારી જન્માવે છે.
૭૩
(૮) પુણ્ય-પાપ અને મેક્ષ
સત્ક યુક્ત-સદાચારી જીવન અસલ્ક યુક્ત-દુરાચારી જીવનની અપેક્ષાએ વધારે સારું હોવા છતાં પર્યાપ્ત નથી. શુભ કર્મ કે પુણ્ય મેાક્ષપ્રાપ્તિ પ્રક્રિયાને સુગમ બનાવે છે, કારણ કે અસ્તિત્વનો વાસ્તવિક સમસ્યા પર અર્થાત્ જીવને અજીવની મલિનતાથી મુક્ત કરવાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાના વધારે અવકાશ છે. માનવી સ્વયંના દૃષ્ટિબિંદુથી મુક્તિપ્રાપ્તિને માનવ-આદર્શ સાનુકૂળ સંજોગેશને લીધે વધારેને વધારે વિચારાય છે. પરંતુ મુક્તિ અહીં માત્ર માનવ-આદર્શ નથી પરંતુ સમગ્ર તરીકે જીવના આદર્શ છે. તેથી અંતિમ આદેશ અજીવથી જીવના છુટકારાના, મુક્તિના છે. સુખી જીવન ગમે તેટલુ ઇચ્છનીય હાય તા પણ તેનાથી
આ આદર્શો સિદ્ધ કરી શકાય નહીં. મુક્તિ-મેાક્ષ જન્મ-મૃત્યુના ચક્રાવાતમાંથી છુટકારા સૂચવે છે અને તેથી તે અનિવાર્ય પણે સત્યમ તેમ જ અસત્ય બનેથી પર છે. સત્કર્મ (પુણ્ય) તેમજ અસત્કમ (પાપ) બને જીવને બંધનમાં રાખે છે અને તેથી તેના સ્વાતંત્ર્યને મર્યાદિત કરે છે. અંતિમ દૃષ્ટિએ, પુણ્ય પણ કામ્ય (ચ્છવા યોગ્ય) નથી. તેથી જ પુણ્યકર્મની તુલના સાનાની ખેડી સાથે કરવામાં આવે છે. આસક્તિ (રાગ) શુભ-અશુભ અને કર્મોનુ અંતિમ કારણ છે અને અનેક પ્રકાશ વ્યક્તિને બંધનમાં રાખે છે. તેથી જ ભગવાન મહાવીરે કહ્યું છે, “પુણ્ય અને પાપ બંનેના ક્ષયથી મુક્તિ મળે છે.” આધ્યાત્મિક પૂર્ણતા -પંથના પ્રવાસીએ અનાસકત-વિરત વલણ વિકસાવવુ જોઈએ.
૫. આસવ-આશ્રવ : (Influx of Karmic Particles)
(૧) વ્યાખ્યા :
જે દ્વારા (આત્મામાં) કર્માં વહે છે તે આશ્રવ છે. (માત્રયનૈડમેન ધર્મ નિ અલપ: ।) બા + સુ કે આ + શ્રષ (ઝરવું, ટપકવું, વહેવું) પરથી આશ્રવ શબ્દ ઉદ્દભવેલ છે. તેથી આશ્રવ એટલે આત્મામાં કર્મ-પુદ્ગલાના પ્રવેશ. કર્મ-પુદ્ગલા સમગ્ર લેકમાં છે. આત્મા યોગ (મન-વચન-કાયા-ની સામાન્ય પ્રવૃત્તિ) અને કષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org