________________
७२
જૈનન
૭. શરીર (નિયત્રણ) પુણ્ય, ૮. વચન (નિયંત્રણ) પુણ્ય, અને ૯. નમસ્કાર પુણ્ય. અન્ન-પાણી-વસ્ત્રનું દાન કાઈપણ યોગ્ય વ્યક્તિઓને કરી શકાય છે. પરંતુ જૈન સાધુઓના સ ંદર્ભોમાં તેનું આચરણ થતાં સર્વે અત્યંત અસરકારક બને છે. મન, શરીર અને વાણી પરનાં નિયંત્રણ અન્ય વ્યક્તિએ પ્રતિ કાઈપણ પ્રકારની હિંસા-નિવારણ માટેની અને તેને નીતિમય અને નૈતિક થવાની શીખ આપે છે. ત્યાગી(સાધુ)જનાને નીચા નમી નમન કરવામાં નમસ્કાર પૂણ્ય છે.
(૪) પુચનાં ઉદાહરણે અને પરિણા મા
પુણ્ય આપણા શુભ ભાવા (પ્રવૃત્તિએ) દ્વારા ઉત્પન્ન થાય છે. પુણ્ય-સત્કાર્ય - નાં ઉદાહરણો નીચે મુજબ છે : સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ, મહાત્માએ પ્રત્યે પૂજ્યભાવયુક્ત વલણ અને જુદાં જુદાં વ્રતાનું પાલન. આ સર્વે સત્કાર્યો (પુણ્યો)નાં પરિણામે-આવિષ્કારા નીચે મુજબ છે: સાતાવેદનીય (સુખની લાગણીને વ્યક્તિગત અનુભવ), શુભ આયુષ્ય, શુભ નામ (શરીર) અને શુભ ગોત્ર. શુભ કર્મો-પુણ્ય-થી આરોગ્ય, સપત્તિ, રૂપ, કીર્તિ, સુકુટુંબ-પરિવાર, દીર્ધાયુ વગેરે સુખનાં સાધના પ્રાપ્ત થાય છે.
(૫) પાપની વ્યાખ્યા
પાપની વ્યાખ્યા અશુભ (ખરાબ) કર્મ તરીકે સામાન્ય રીતે આપી શકાય. પાપ રાગ-દ્વેષના પ્રભાવ હેઠળ કરવામાં આવતું અનિષ્ટ કાર્ય છે. આ માનવીના સદ્ગુણી વલણા અને તેની અંતર્ગત સારપ વિરુદ્ધ તેની અધમ-હીન પ્રકૃતિના બળવા છે. તેથી પાપને અજ્ઞાનના આવિષ્કાર તરીકે અને તેના સંકલ્પપ્રેરિત કર્મોમાંની અનીતિમત્તા તરીકે માની શકાય. જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મોહનીય અને અંતરાય કર્મો અશુભ છે અને તેથી તે પાપકર્મ છે.
(૬) પાપના પ્રકાર
પાપના ૧૮ પ્રકારે છેઃ ૧. પ્રાણુ વધુ (જીવહિંસા), ૨. અસત્ય (મૃષાવાદ), ૩. અદત્તાદાન (પ્રત્યક્ષ કે પરોક્ષ ચોરી), ૪. અબ્રહ્મચર્ય, ૫. પરિગ્રહ, ૬. ક્રોધ ૭. માન (અહુ), ૮. માયા (દભ), ૯. લાભ, ૧૦. રાગ (આસક્તિ), ૧૧. દ્વેષ, ૧૨. કલેશ, ૧૩. અભ્યાખ્યાન (અન્યની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવા માટે ખોટી અફવાએ—ષડયંત્રોના પ્રસાર) ૧૪. વૈશુન્ય (વાર્તાકથન), ૧૫. પર પરિવાદ (પરિને દા), ૧૬ રિત-અરિત, ૧૭. માયામૃષાં, ૧૮. મિથ્યાદર્શ નશલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org