SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ૧. કાળ અથવા પારમાર્થિક કાળ : આ કાળના સાતત્યપૂર્ણ, અવિરત પ્રવાહના તાર્કિક ખ્યાલ દ્વારા સમજી શકાય છે. કાળ પરિવર્તનનું સહાયક કારણ છે. આ પરિવર્તન સાતત્યને આધારે સમજી શકાય છે, સાતત્ય વિના આપણે પરિવર્તનને બિલકુલ સમજી શકીએ નહીં. જો સાતત્ય ન હોય તો પ્રશ્ન એ થાય કે પરિવર્ત ન પામનાર શું છે? તેથી સાતત્ય (સ્થાયિત્વાર્થાતશીલતા) પરિવર્તનને આધાર છે. કાળ—પારમાર્થિક કાળ નિત્ય છે, અરૂપી છે અને અનાદિ છે. se ૨. વ્યાવહારિક કાળ અથવા સમય : આ દ્રવ્યમાં પરિવર્તનાને ઉત્પન્ન કરવામાં સહાયભૂત થાય છે. તેથી તે પદાર્થોમાં ઉદ્ભવતાં રૂપાંતરે દ્વારા જ્ઞાત થાય છે. સમય સામાન્ય દૃષ્ટિબિંદુથી કલાકા, મિનિટ, સેકન્ડે વગેરે દ્વારા સમજી શકાય છે. તે દ્વારા આપણે વસ્તુને તેમાં ઉદ્ભવેલ પરિવર્તન મુજબ નવી કે જૂની કહીએ છીએ. સમય અથવા વ્યાવહારિક કાળને આદિ અને અંત બને છે. કાળ એક દ્રવ્ય નથી, પર ંતુ અસ ંખ્યાત્ દ્રવ્ય-પ્રદેશ છે. કાળ સૂક્રમ પ્રદેશે (તત્ત્વા)ના બનેલે છે અને તે એકમેક સાથે કદી સમેતિ થતા નથી. વિશ્વ કાળના અ અ-નવેશ-પ્રદેશે-થી સભર છે. કા પણ દિક્-પ્રદેશ તેનાથી વંચિત નથી. લેાકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક કાળ-પ્રદેશ સ્થિત છે. કાળના પ્રદેશ અવિભાજ્ય, અસંખ્ય અને અરૂપી છે. તેથી કાળ એક દ્રવ્ય નથી પણ અસ ંખ્યાત દ્રવ્યા છે, જે પ્રત્યેક નિત્ય અને અવિભાજ્ય છે. જૈન દૃષ્ટિએ, કાળ માત્ર સત્ (વાસ્તવિક) જ નથી, પરંતુ તે વાસ્તવિક સૃષ્ટિના વિકાસ અને સમજૂતી માટેનું સબળ પરિબળ છે. તેથી કાળના દ્રવ્ય તરીકે અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. તે સત્ છે, પરંતુ તેને ભૌતિક સ્વરૂપ નથી અને તેથી તે અસ્તિકાય નધી-અનસ્તિકાય છે. ભૂતકાલીન સમય નષ્ટ થયેલ છે અને ભાવિ સમય અત્યારે અસત્ છે. તેથી કાળ જ્યારેને ત્યારે એક વર્તમાન સમય રૂપે જ પ્રાપ્ત થાય છે. ચાલુ સમય એટલે વર્તમાન ક્ષત્ અને એ જ સદ્ભુત કાળ છે. અસદ્ભૂત ક્ષણને બુદ્ધિમાં એકત્રિત કરીને કાળના વિભાગો (મિનિટ, લાક વગેરે) પાડવવામાં આવે છે. ૧૦. તત્ત્વનું નૈતિક વર્ગીકરણ ઃ નવતત્ત્વ (ETHICAL CLASSIFICATION OF TATTVA: NINE CATEGORIES) ૧. પ્રાસ્તાવિક (Introductory) : ભારતીયજન તેની પ્રકૃતિથી તત્ત્વજ્ઞ છે. તત્ત્વવિજ્ઞાન વિના કે પાકળ~નિર્બળ તત્ત્વવિજ્ઞાનવાળી કાઈ સ્કૂલ કે દર્શન અધ્યાત્મવાદ કે જ્ઞાનીજનની ભૂમિમાં લાંબ્રુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy