SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વવિજ્ઞાન અનુરૂપ છે. લોક સાત અર્થાત્ સીમિત છે. અલકાકાશમાં કંઈપણ અસ્તિત્વમાન નથી. તે શુદ્ધ કે બાહ્ય અવકાશ છે. તે અનંત છે. તે કાકાશથી પર છે. વિભાજન આકાશ સ્વયંમાં નથી પરંતુ તે આકાશનાં પાંચ દ્રવ્યો સાથેના સંબંધને લીધે છે. આકાશ આત્મનિર્ભર છે, જ્યારે અન્ય દ્રવ્ય તેવાં નથી. અન્ય દ્રવ્ય અકાશમાં– લિકાકાશમાં સ્થાન પામે છે. આ રીતે અવકાશ આપવો એ આકાશનું લક્ષણ છે. નિશ્ચય દષ્ટિએ, સર્વ દ્રવ્ય આત્મનિર્ભર છે પરંતુ વ્યવહાર દષ્ટિએ, અન્ય દ્રવ્ય આકાશાશ્રિત છે. આકાશ અન્ય દ્રવ્ય કરતાં વધારે વ્યાપક છે અને તેથી તે સર્વને આધાર છે. આકાશના અન્ય કોઈ આધાર નથી. તે સ્વનિર્ભર છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો સર્વવ્યાપી છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે આ ત્રણે દ્રવ્ય સર્વવ્યાપી હોય તે તેમની વચ્ચે પરસ્પર વિરોધ કેમ થતો નથી ? આને ઉત્તર એ છે કે વિરોધ-વ્યાધાત હંમેશાં રૂપી-મૂર્ત પદાર્થોમાં થાય છે, અમૂત-અરૂપી પદાર્થોમાં નહીં. આ ત્રણે દ્રવ્ય ભૌતિક સ્વરૂપના નથી પણ અરૂપી, અમૂર્ત છે અને તેથી તેઓ એકી સાથે વિરોધ વિના રહી શકે છે. ૬. કાળ (અહાસમય) (TIME) કાળ એક અવિભાજ્ય દ્રવ્ય છે અને તેથી તે અનસ્તિકાય છે. એક અને સમાન સમય સર્વત્ર જગતમાં હોય છે. અન્ય અસ્તિકાય ની જેમ, કાળ દિફમાં-અવકાશમાં વિસ્તરેલ નથી. તે આકાશ (દિફ) સાથે સહઅસ્તિવમાન છે. કાળ પદાર્થોના પરિવર્તનનું માધ્યમ કે સહાયક કારણ છે, ઉપાદાન કે નિમિત્ત કારણ નથી. આ પરિવર્તન સ્વયં થાય છે. કાળ સ્વયંના પરિવર્તન માટે અન્ય કઈ દ્રવ્યની સહાયની આવશ્યક્તા નથી. કાળ પિતાના સ્વરૂપ મુજબ સ્વયં પરિવર્તન પામતો રહે છે. તે સ્વયં પરિવર્તનશીલ છે. જેવી રીતે દીપક સ્વયં પ્રકાશિત થઈને અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી રીતે કાળ સ્વય પરિવર્તન પામતાં પામતાં જીવ વગેરેનું પરિવર્તન કરે છે. દીપક સ્વયં પ્રકાશમાન છે, તેને પ્રકાશિત કરવા માટે કોઈ બીજા પ્રકાશની આવશ્યક્તા નથી, પરંતુ અન્ય પદાર્થો અપ્રકાશિત છે અને તેમને પ્રકાશિત કરવા માટે દીપકને ઉપયોગ છે. જેવી રીતે દીપક અપ્રકાશિત પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી રીતે કાળ અપરિવર્તનશીલ પદાર્થોનું પરિવર્તન કરતો નથી, પણ સ્વભાવથી પરિવર્તનશીલ પદાર્થોના પરિવર્તનમાં સહાયક થાય છે. કાળના બે પ્રકારે છેઃ ૧. દ્રવ્ય કાળ અથવા પારમાર્થિક કાળ (નિરપેક્ષ કે વાસ્તવિક કાળ), અને ૨. વ્યવહાર કાળ અથવા પરંપરાગત કે સાપેક્ષ સમય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy