SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને પુગલમાં સ્થિતિશીલ થવાનું સામર્થ્ય છે, પરંતુ વિશ્વમાં અધર્મનું માધ્યમ ન હોય તે તેઓ સ્થિતિશીલ થઈ શકે નહીં. અધર્મ અરૂપી છે અને તેથી તેનામાં પણ ઇંદ્રિયગમ્ય ગુણ નથી. આનુભવિક દષ્ટિબિંદુથી અધમ પણ અનંત પ્રદેશયુક્ત છે. પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તે માત્ર એક પ્રદેશ જ ધરાવે છે. ધર્મ અને અધમ બંને સર્વવ્યાપી હોય તે શું બંને એકમેક સાથે મળી ન જાય અને તેમની વચ્ચે કોઈ ભેદ રહે ખરો ? જેવી રીતે અનેક દીપક કે મીણબત્તીઓના પ્રકાશ એકબીજા સાથે એકરૂપ થવા છતાં તેમનામાં ભિન્નતા રહે છે અને તેઓ યથા સમય પોતપોતાનું કાર્ય કરે છે, તેવી રીતે આ બે સર્વવ્યાપક દ્રવ્ય હોવા છતાં તેમનામાં ભિન્નતા રહે છે અને તેઓ યથાસમય પોતપોતાનું કાર્ય કરે છે તેવી રીતે આ બે સર્વવ્યાપક દ્રવ્ય હોવા છતાં તેમનામાં પોતપોતાના કાર્યની દૃષ્ટિએ ભિન્નતા રહે છે. પરસ્પર ભળવા છતાં તેમનામાંથી કેઈપણ દ્રવ્યનું અસ્તિત્વ સમાપ્ત થતું નથી. ધર્મ તેમજ અધર્મ સંપૂર્ણ લકમાં વ્યાપ્ત છે અને તેમને એક સ્થાનથી અન્ય સ્થાનમાં જવાની કેઈ આવશ્યકતા નથી. તેઓ નિત્ય સ્થિત છે. જૈન દૃષ્ટિએ, ધર્મ-અધર્મ વિશ્વના વ્યવસ્થિત સ્વરૂપ માટે જવાબદાર છે. તેમના વિના વિશ્વમાં અંધાધૂંધી પ્રવર્તત. હિન્દુ મતે પણ ધર્મ અને અધર્મ અનુક્રમે વિશ્વની સંવાદિતા અને વ્યવસ્થા અને તેની વિસંવાદિતા અને અવ્યવસ્થાના સિદ્ધાંતો છે. આમ, બંનેમાં સમાનતા છે પરંતુ જૈન દર્શનમાં ધર્મ-અધર્મ તાત્વિક પદાર્થો-દ્રવ્ય છે, જ્યારે અન્ય ભારતીય દર્શનોમાં ધર્મ-અધર્મ મુખ્યત્વે નૈતિક સિદ્ધાંત છે. અલબત્ત, આદર્શવાદી નીતિશાસ્ત્રમાં આ ધર્મ-અધર્મ પ્રત્યયોની વિચારણું તારિક સંદર્ભમાં કરવામાં આવે છે ખરી. ૫. આકાશ (AKASA) આકાશ એટલે દિફ-અવકાશ. આકાશ વસ્તુનિષ્ઠ રીતે વાસ્તવિક છે. તે એક, અખંડ, અનાદિ, નિત્ય, અરૂપી અને સર્વવ્યાપી દ્રવ્ય છે. વિશ્વના સર્વ પદાર્થો આકાશમાં અસ્તિત્વમાન છે. તે અસંખ્ય-અનંત પ્રદેશયુક્ત એકાકી દ્રવ્ય છે. આમ તે અસ્તિકાય છે. તેના પ્રદેશ અદષ્ટ છે. અવકાશ-પ્રદાન આકાશનું લક્ષણ છે. અન્ય દ્રવ્યની દૃષ્ટિએ, આકાશ ૧. કાકાશ અને ૨. અલકાકાશ એવા બે વિભાગોમાં વિભાજિત થાય છે. લોકાકાશમાં દ્રવ્યો (જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ અને કાળ) અસ્તિત્વમાન છે. આ સામાન્ય રીતે વિશ્વના સામાન્ય ખ્યાલને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy