SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જેન તરવવિજ્ઞાન પ્રદેશયુક્ત છે. કારણ કે સાર્વત્રિક અવકાશમાં અસંખ્ય અવકાશીય એકમ છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિબિંદુથી તે માત્ર એક જ પ્રદેશ ધરાવે છે. ધર્મ કાકાશમાં જ છે. કાકાશની બહાર તેનું અસ્તિત્વ નથી અને તેથી જ સ્વભાવથી જ ઊર્ધ્વગામી એવો મુક્ત જીવ લેકાગ્ર પર આવેલ સિદ્ધશિલા પર જઈ સ્થિત થાય છે-અટકી જાય છે અને તેથી ઊંચે અક નામના અનંત મહાશિન્ય અવકાશમાં વિચારી શકતા નથી. ૮. અધર્મ (MEDIUM OF REST) અધર્મ પણ એક અજીવ દ્રવ્ય છે. તે પણ નિત્ય, સ્થિર અને અરૂપી છે. તે પણ એક અને અખંડ છે અને તેલ જેમ સંપૂર્ણ તલમાં છે તેમ અધર્મ પણ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. અધર્મ સ્થિતિનું માધ્યમ છે. તે જીવ અને યુગલની સ્થિતિ માટેનું સહાયક કારણ છે. જીવ અને પુગલ સ્થિર થવાના હોય છે ત્યારે અધર્મ દ્રવ્ય તેને સહાય કરે છે. અધર્મના અભાવમાં સ્થિતિ શકય નથી. અધમ પદાર્થોની સ્થિતિ માટે આવશ્યક અને અનિવાર્ય શરત છે. તે સક્રિયપણે ગતિશીલ પદાર્થો માટે અંતરાયરૂપ થતું નથી. ગતિશીલ જીવ અને પુદ્ગલ સ્થિતિ માટે સમર્થ છે. પરંતુ અધર્મનું માધ્યમ તેમની સ્થિતિ માટે સહાયરૂપ થાય છે. જેવી રીતે વૃક્ષ યાત્રિકની વિશ્રાંતિ માટે સહાયરૂપ થાય છે તેવી રીતે અધર્માસ્તિકાયનું સ્વરૂપ આમાઓ અને પુગલને તેમની સ્થિતિ માટે સહાયરૂપ થાય છે. પથિક વૃક્ષની શીતલ છાયા જુએ છે અને તે તેને આશ્રય માટે સર્વપ્રથમ આકર્ષે છે અને ત્યારબાદ તે તેની હેઠળ શાંતિથી વિસામો લે છે. આ જ પ્રમાણે અધર્માસ્તિકાય કેઈપણ ગતિ કર્યા વિના ગતિશીલ જીવ અને પુગલને સ્થિર થવા આકર્ષે છે અને ત્યારબાદ તે તેમને સ્થિર થવામાં સહાય કરે છે. જેવી રીતે વૃદ્ધજન પોતાની શક્તિથી ઊભે રહેતો હોવા છતાં લાકડી તેને ઊભા રહેવામાં સહાય કરે છે તેવી રીતે આ ધર્મનું માધ્યમ સ્વંય સ્થિર રહેવાના સ્વભાવવાળા પદાર્થોને સ્થિતિશીલ રહેવામાં સહાયભૂત થાય છે. અલબત, વૃક્ષની કે અન્ય કોઈપણ છાયા વિના પાર્થિક વિશ્રામ લઈ શકે છે અને લાકડીના ટેકા વિના વૃદ્ધજન ઉભું રહી શકે છે ખરે. આ મુશ્કેલીના નિવારણ માટે એક બીજુ ઉદાહરણ પણ આપવામાં આવે છે. જેવી રીતે, પૃથ્વી અવ વગેરે પ્રાણીઓની સ્થિતિ માટે સહાયક થાય છે તેવી રીતે અધર્મ પણ જીવ અને પુગલની સ્થિતિ માટે સહાયક થાય છે. અધર્મ પદાર્થોની સ્થિતિ માટેનું નિમિત્ત કારણ છે. જીવ જે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy