________________
કર
(૫) સૂમ (Fine Matter)
આ સ્કંધ–પ્રકાર સૂક્ષ્મ છે. કમ -પુદ્ગલા અદૃષ્ટ છે અને તે આનું ઉદાહરણ છે. તે વિચારપ્રવૃત્તિ માટે જવાબદાર છે. આ પ્રકાર ઈન્દ્રિય-પ્રત્યક્ષથી પર છે. (૩) સૂક્ષ્મ-સૂમ (Extra-fine Matter)
આ સ્કંધ–પ્રકાર પણ ઇન્દ્રિયાતીત છે. કર્મ-પુદ્ગલથી પણ અત્યંત સૂક્ષ્મ સ્કંધ છે. એકાકી પ્રાથમિક તāl (particles)નાં સ્વરૂપે અત્યંત સૂક્ષ્મ પુદ્ગલનાં અનેલાં છે.
જૈનદર્શન
(૬) જૈન પરમાણુ-દ્દાંત અને તાદાત્મ્ય તેમજ પરેવન તરીકે વાસ્તવિકતાના જૈન સિદ્ધાંત વચ્ચે સંઅ`ધ : (Relation between Jaina Thoery of Atoms and Jaina Theory of Reality as Identity and Change)
તાદાત્મ્ય--અભિન્નતા-અભેદ અને પરિવર્તન તરીકે સત્ અ ંગને જૈન ખ્યાલ તેના પરમાણુ અંગેના સિદ્ધાંતમાં પ્રર્તા મિત થાય છે. પદાર્થોમાં જે પરિવત નાના અનુભવ આપણે કરીએ છીએ તે પરમાણુઓના સ ંયોજનના વિભિન્ન પર્યાયોને લીધે છે અને આને પદાર્થોના પરિવર્તનશીલ પર્યાયા તરીકે નિર્દેશી શકાય. પર ંતુ આ સર્વ પરિવત્ નશીલ પર્યાયોની પાછળ તેના મૂળમાં તે અંતિમ ટકતત્ત્વા એટલે કે પરમાણુઓની તાદાત્મ્યની હકીકત રહેલી છે. પરમાણુએ સ્વયં અપરિવર્ત શીલ છે, તેમના સુયેાજન-સ્વરૂપો પરિવર્તન પામે છે અને પરિણામે વિભિન્ન પ્રકારોના પદાર્થો ઉત્પન્ન થાય છે. આમ, પરમાણુઓની પરિભાષામાં, આંત્તમ ઘટકતત્ત્વ તરીકે પરમાણુએમાં આપણને વાસ્તવિકતા-સત-નુ અભેદ-તાદાત્મ્યતા-નું તત્ત્વ તેવા મળે છે અને સ્ક ંધની રચના કરવા પરમાણુએસના સ ંયોજનમાં અને સ્કંધના વિભાજન સયાજનમાં આપણને પરિવર્તનનું તત્ત્વ જોવા મળે છે.
(૭) પુદ્ગલ અને આત્મા (જીવ) (matter and Soul)
પુદ્ગલ જીવ-આત્મા પર પ્રભાવ પાડે છે ખરું ? જૈન ષ્ટિએ, પુદ્ગલ સ સારી જીવ પર પ્રભાવ પાડે છે. જ્યાં સુધી જીવ સ!રમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી આ બે વચ્ચે અવિભાજય સંબંધ છે. પુદ્ગલ જીવ પર કેવી રીતે પ્રભાવ પાડે છે ? આના ઉત્તર એ છે કે પુદ્ગલ દ્વારા જ શરીરનું નિર્માણુ ધાય છે. શરીર, વાણી, મન અને ધ્રાસાવાસ પણ પુદ્ગલના જ કાર્યો છે. આ રીતે, પુદ્ગલ શરીર, વાણી અને શ્વાસોચ્છવાસનું ભૌતિક અધિષ્ઠાન બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org