________________
જૈન તવવિજ્ઞાન (ડ) સ્કંધનાં છ રૂપે : પુદગલના છ પેટા પ્રકારે : (Six Forms of Skandha : Six Sub-classes of Matter) :
વિજ્ઞાન પદાર્થની ત્રણ સ્થિતિ દર્શાવે છે: ૧. ઘન ૨. પ્રવાહી, અને ૩. વાયુરૂપ. જૈન દર્શન તેની છ સ્થિતિએ નીચે મુજબ દર્શાવે છે. વ્યાપક રીતે પુદ્ગલના પરમાણુ અને સ્કંધ એવા બે વર્ગો છે. પુદ્ગલને નીચેના છ વર્ગોમાં પણું વિભાજિત કરવામાં આવે છે. આ વર્ગો તેમનાથી ભિન્ન નથી, પણ તેમના પેટા પ્રકારે છે.
(૧) કુળ- ળ (ધન) (Solids)
આ સ્કંધ-પ્રકાર વિભાજિત થતા સ્વયં તેનું મૂળ અવિભાજિત સ્વરૂપ પુનઃ પ્રાપ્ત કરી શકતો નથી. ઘન પદાર્થો આનાં વિશિષ્ટ ઉદાહરણે છે, જેમકે માટી, પત્થર, લાકડું વગેરે આ બધા વિભાજિત થતાં ત્રીજા કશાકના ઉપયોગ વિના. સંજિત થઈ શકતા નથી.
(૨) કુળ (પ્રવાહી) (Liquids)
આ સ્કંધ-પ્રકારમાં વિભાજિત થયા બાદ પણ પુનઃ સંજિત થવાની શક્તિ. છે. આના ઉદાહરણ તરીકે પ્રવાહીઓને નિર્દેશ કરવામાં આવે છે, જેમકે દૂધ, દહીં, પાણી, તેલ વગેરે. વિભાજન થયા બાદ, આ ત્રીજી વસ્તુની દરયાનગીરી વિના સ્વયં સંયોજિત થઈ શકે છે. (૩) સ્થૂળ-સૂમ (શક્તિ) (Energy)
આ સ્કંધ-પ્રકાર સ્થૂળ દેખાય છે, પરંતુ વાસ્તવમાં સૂક્ષ્મ છે, કારણ કે ન તે તેનું વિભાજન શકય છે, ન તે તેની આરપાર જઈ શકાય છે, ને તો તે હાથ દ્વારા ગ્રહણ કરી શકાય છે. ગરમી, પ્રકાશ, અંધકાર, છાયા, વીજળી વગેરે આનાં ઉદાહરણે છે. અને સૂક્ષ્મ અંશે ઇન્દ્રિયોને સ્પષ્ટ છે. ધૂમાડા, છીયા વગેરે. સ્થૂળ દેખાય છે છતાં અવિભાજ્ય છે. (૪) રૂમ-ળ (વાયુ) (Gases)
આ કંધ-પ્રકાર સ્થૂળ દેખાય છે ખરે પરંતુ સૂક્ષ્મ પણ છે. સ્પર્શ—ગંધ -રંગ–શબ્દના સંવેદને આનાં દષ્ટાંતે છે. આ સંવેદને સૂક્ષ્મ હોવા છતાં ઇદ્રિયગમ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org