SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શન તેમ જ અવિભાજ્ય છે તે પરમાણુ કહેવાય છે. પરમાણુ યુગલના વિભાજન દ્વારા પ્રાપ્ત શકય સૂક્ષ્મતમ ભૌતિક અંશ છે. પરમાણુ ઇદ્રિ દ્વારા અગ્રાહ્ય છેઅદષ્ટ છે, છતાં તે “અરૂપી નથી પણ “રૂપી” છે. પરમાણુઓનું સંવેદન છે, પરંતુ આપણે તેનાથી સભાન નથી અર્થાત આપણને પરમાણુઓનું પ્રત્યક્ષીકરણ નથી. તે પુગલનું અંતિમ ઘટક છે, મૂળ તત્ત્વ છે. જેના મતે, પરમાણુ અભેદ્ય, અગ્રાહ્ય, અદાહ્ય અને નિરવયવ છે. ન્યાય–વશેષિક દર્શનના પરમાણુઓની જેમ, પરમાણુઓની વચ્ચે અહીં કોઈ ગુણાત્મક ભેદ નથી અને તેથી અહીં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના પરમાણુઓ ભિન્ન અને અલગ નથી. પરમાણુમાં એક રસ (સ્વાદ), એક રૂપ (વર્ણ), એક ગંધ અને સ્પર્શના પરસ્પર વિરોધી ન હોય એવા બે પ્રકારે હોય છે. પરમાણુમાં વૃનિ નથી, કારણ કે ધ્વનિ (શબ્દ) માટે અનેક પરમાણુઓની આવશ્યકતા છે. (બ) સર્કલ (Molecule) સ્કંધ પરમાણુઓના સંયોજનની પ્રક્રિયા દ્વારા ઉભવે છે. સ્કંધ દશ્યમાન છે, ઈદ્રિય દ્વારા જાણી શકાય છે. પરમાણુઓનું પ્રત્યક્ષીકરણ સ્કંધ સ્વરૂપે જ શક્ય છે અને તેના આધારે જ પરમાણુઓને “રૂપી” માનવામાં આવે છે. સ્કંધ જ પુદ્ગલાસ્તિકાય છે. માત્ર ભેદ ( વિજન), માત્ર સંઘાત ( સંજન) કે એકી સાથે વિજન–સંજનની સંયુક્ત પ્રક્રિયા દ્વારા સ્કંધની રચના શકય છે. પરમાણુઓનું -સંયોજન સકંધ ઉત્પન્ન કરે છે અને સ્કંધેનું સંજન પદાર્થો. નાનામાં નાને સ્કંધ બે પરમાણુઓનું સંયોજન છે અને મોટામાં માટે સકંધ અનંતાનંત પરમાણુઓનું સંયેજન છે. સ્કંધે સ્પર્શ-રસ-ગંધ-રૂપ ગુણ ધરાવે છે અને તેમને લીધે જ આપણે વિભિન્ન ગુણનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. (ક) પરમાણુ અને આંધ વચ્ચે તફાવત (Distinctiom between Atom and Molecule) ૧. પરમાણુઓનું વિભાજન અશક્ય છે અને તેઓ સંયેજિત થઈને સ્કંધ ઉત્પન્ન કરવા જ શક્તિમાન છે. સ્કંધનું વિભાજન શક્ય છે અને તેમનું રૂપાંતર પરમાણુઓમાં શક્ય છે એટલું જ નહીં પરંતુ તેમના પરસ્પર સંજન દ્વારા જુદા જુદા પદાર્થો ઉત્પન્ન થાય છે. ૨. પરમાણુઓ ઈદ્રિ દ્વારા અગ્રાહ્ય છે, તેઓ અદષ્ટ છે; જ્યારે સ્કંધ દષ્ટ છે અને ઇકિયે દ્વારા જાણી શકાય છે. ૩. પરમાણુઓ વચ્ચે ગુણાત્મક ભેદ નથી, જ્યારે સ્કંધે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના લક્ષણયુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy