________________
જૈન તત્વવિજ્ઞાન
૫૯. શકય છે. શબ્દ (નિ) પણ પદગલિક છે અને તે શ્રવણેન્દ્રિય-કાન દ્વારા ગ્રહણ થાય છે.
૧. સ્પશના ૮ ભેદ: મૃદુ-કઠણુ, ગુરુ (ભારે)-લઘુ (હળવું), શીત-ણિ, સ્નિગ્ધ-રૂક્ષ. આ સર્વે સ્પર્શેન્દ્રિય (ત્વચા) દ્વારા જ્ઞાત થાય છે.
૨. ૨૫ના ૫ ભેદ તીખે, કટુ (કડવો), ખાટે, મધુર અને કષાય (તરે). આ બધાનું જ્ઞાન રસેન્દ્રિય (જિલ્લા) દ્વારા પ્રાપ્ત થાય છે.
. ૩, ગધના ૨ ભેદ સુગંધ અને દુર્ગધ. આ ગુણનું જ્ઞાન ધ્રાણેન્દ્રિય (નાક) દ્વારા થાય છે.
૪. વ(રૂ૫) ના ૫ ભેદઃ નીલ (વાદળી), પીત (પી), શુકલ (ત), કૃષ્ણ (કાળે) અને લાલ. આ ગુણોનું જ્ઞાન નેન્દ્રિય (આંખ) દ્વારા થાય છે.
(૪) પુદગલનું જ્ઞાન (Knowledge of Pudgala) :
પુલ પંચેન્દ્રિય દ્વારા અનુભવી શકાય એવું દ્રવ્ય છે. પુદ્ગલની વ્યાખ્યા આ રીતે પણ આપવામાં આવે છે. ઈન્દ્રિ દ્વારા પ્રાપ્ત જ્ઞાન બાહ્ય સૃષ્ટિ અંગેનું છે. પ્રત્યેક ઇન્દ્રિય બાહ્ય સૃષ્ટિનું એક પ્રકારનું જ્ઞાન દષ્ટાને આપવા શક્તિમાન છે અને તેથી સર્વે ઇન્દ્રિ દ્વારા પ્રાપ્ત જ્ઞાન બાહ્ય સૃષ્ટિનાં વિભિન્ન પાસાં વ્યક્ત કરે છે. દા. ત. ચક્ષુ બાહ્ય સૃષ્ટિના પદાર્થોના રંગ અને આકાર અંગેની માહિતી આપે છે. એ જ પ્રમાણે, ત્વચા (સ્પર્શેન્દ્રિય) પદાર્થની મૃદુતા-કઠણુતા અંગે માહિતી આપે છે. અન્ય ઇદ્રિ પણ સૃષ્ટિનાં અન્ય પાસાં અંગે પરિચય આપે છે. અનુભવ બાહ્ય સૃષ્ટિ સાથે સંપર્ક સ્થાપે છે અને અનુભવના વિષય. તરીકે પુદ્ગલ દષ્ટા સમક્ષ સૃષ્ટિનું સ્વરૂપ પ્રકટ કરે છે અને આ રીતે પુગલની આ વ્યાખ્યાની અગત્ય એ છે કે તે જૈન દર્શનને વાસ્તવવાદી અભિગમ અસંદિગ્ધપણે સ્પષ્ટ કરે છે.
(૫) પુગલનાં મુખ્ય રૂપે પ્રકારે પરમાણુ અને સ્કંધ (Chief Forms-Kinds of Pudgala : Atom and Molecule)
પુગલના બે રૂપ (પ્રકારો) છે: ૧. પરમાણુ (atom) અને ૨. સ્કંધ (molecule). (અ) પરમાણુ (Atom)
પરમાણુ એટલે સૂક્ષ્મ છે કે તેમાં આદિ, મધ્ય અને અંત જેવા વિભાગે નથી પરંતુ આ ત્રણે એક જ છે. જે દ્રવ્ય સ્વયં આદિ, મધ્ય અને અંત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org