________________
૫૮
જૈનન
જ કહેવામાં આવ્યું છે. અસ્તિવની દૃષ્ટિએ, સર્વે તāા સમાન હોવા છતાં મૂલ્યની દૃષ્ટિએ આત્મા વિશેષ મૂલ્યવાન છે. મૂલ્યના નિર્ણયના આધાર આત્મા પર જ છે. ૨. પુદ્ગલ (PUDGALA OR MATTER)
(૧) પ્રાસ્તાવિક (Introductory)
વાસ્તવવાદ મુજબ, ભૌતિક વાસ્તવિકતા અને આધ્યાત્મિક વાસ્તવિકતા એકમેકથી સ્વતંત્ર અને અલગ છે. ભૌતિક વાંસ્તવિકતા તેના અસ્તિત્વ માટે મન— વિચાર–ચેતના પર આધારિત નથી, તે વિચાર જેટલી જ વાસ્તવિક છે. જૈન દર્શન વાસ્તવવાદી દર્શન છે અને તે જડતત્ત્વની સ્વત ંત્ર અને અલગ હસ્તીમાં માને છે. જડતત્ત્વ માટે અહીં ‘પુદ્ગલ’ શબ્દ પ્રયાાય છે. પુદ્ગલ પાંચ અજીવ પદાર્થોમાંને એક છે. પુદ્ગલ કે ભૌતિક (જડ) પદાર્થો અનાદિ, અવિનાશી અને વાસ્તવિક છે. આથી જૈન દૃષ્ટિએ, ભૌતિક સાંષ્ટ કલ્પનાના તરંગ નથી, પરંતુ નક્કર વાસ્તવિકતા છે, પ્રત્યક્ષીકરણ કરનાર મનથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાન છે.
(૨) પુદ્ગલને અર્થ (Meaning of
Pudgala)
‘પુદ્ગલ' શબ્દ ‘પુ' અને ‘ગલ’ શબ્દના બનેલા છે. ‘પુ' એટલે પૂરણ–વૃદ્ધિ–સંયોજન અને ‘ગલ’ એટલે ગલન-હાસ-વિયેજન. આમ, ‘પુદ્ગલ' એટલે સયેાજન–વિયેાજન દ્વારા અથવા વૃદ્ધિ-હાસ દ્વારા ભિન્ન ભિન્ન રીતે પરિવર્તન પામતું દ્રવ્ય. સ ંયોજન-વિયેાજન પ્રક્રિયા માત્ર પુદ્દગલમાં જ થાય છે, અન્ય દ્રવ્યમાં નહીં. આ પ્રક્રિયા દ્વારા પુદ્ગલનું એક સ્વરૂપ અન્ય સ્વરૂપમાં પરિવર્તન પામે છે. જડ પદાર્થ માટે ‘પુદ્ગલ’ શબ્દની પસંદગી અર્થપૂર્ણ અને સાર્થક છે. પરમાણુના સ ંશ્લેષ—વિશ્લેષ (સ ંયોજન–વિયોજન) દરેક મૂર્ત વસ્તુમાં થાય છે એ અનુભવ સિદ્ધ હકીકત છે. તે જૈન દર્શનની વાસ્તવવાદી સ્થિતિ દઢીભૂત કરે છે એટલું જ નહીં પર ંતુ વાસ્તવિકતા-સત્ત્વના ગતિશીલ (dynamic) ખ્યાલ પણ પ્રકટ કરે છે. પુદ્ગલ પાંચેન્દ્રિયો (ત્વચા-જીભ-નાક-આંખ-કાન) દ્વારા અનુભવી શકાય એવું દ્રવ્ય છે. આ પુદ્ગલની ખીજી વ્યાખ્યા છે.
C
(૩) પુદ્દગલના ગુણા (Characteristics of Matter or Pudgala) : પુદ્ગલ રૂપી' દ્રવ્ય છે. તેમાં ૪ ગુણા (લક્ષણા), છે: ૧. સ્પર્ધા (touch), ૨. રસ (taste), ૩. ગંધ (smell) અને રૂપ કે વર્ણ (colur). પુદ્ગલના પ્રત્યેક પરમાણુ આ ચાર ગુણયુક્ત અને આ ગુણલક્ષણ-ના નીચે મુજબના ૨૦ ભેદ-પ્રકાર છે. વાસ્તવમાં આ પ્રત્યેકનુ અસ ંખ્ય-અનંત ભેદામાં વિભાજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org