SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વવિજ્ઞાન - કરોડરજુવાળા પ્રાણીઓ પંચેન્દ્રિય છે. પંચેન્દ્રિય જીના બે પ્રકારે છે : (૧) ગર્ભજ (ગર્ભ દ્વારા ઉત્પન. દા. ત. બકરી, ઘેટા, સિંહ, વાઘ, હાથી વગેરે) અને (૨)સમૂછિમ (ગર્મ વિના સહજ રીતે ઉત્પન્ન. દા.ત., દેવો). આમાંના પ્રથમ પ્રકારના છો બુદ્ધિયુક્ત છે. ઉચ્ચતર પ્રાણીઓ, માન, દેવે વગેરે “મન” ધરાવે છે અને તેથી તેઓ “સંઝિન” (સમનસ્ક-બુદ્ધિયુક્ત) કહેવાય છે; જ્યારે નિમ્નકક્ષાના પ્રાણીઓને મન નથી અને તેથી તેઓ અ-સંઝિન (અ-મનસ્ક) કહેવાય છે અને તેઓ વૃત્તિયુક્ત છે. તત્વાર્થસૂત્ર બુદ્ધિયુક્ત-પ્રાણીઓની વ્યાખ્યા “આંતર-દદ્રિયયુક્ત-સમનસ્ક તરીકે કરે છે. ૨. અસ્તિત્વની માનવનસ્થિતિ (The Human state of Existence): માનવજાતના નીચેના બે વિભાગો પાડવામાં આવે છે: (૧) કાઈક અર્થમાં નિબળ હોય તેવા માનવ અર્થાત્ જે માનવોમાં સર્વે ઇંદ્રિય અને માનસિક શક્તિઓને સુવિકાસ થ ન હોય એવા માનવ અને (૨) સર્વે દ્રિ અને માનસિક શક્તિઓ સુવિકસિત હોય એવા માનો. બીજા વિભાગના મનુષ્ય મેક્ષપ્રાપ્તિની બાબતમાં અત્યંત લાભપ્રદ સ્થિતિમાં છે, કારણ કે આત્મ- શિસ્ત મોક્ષ-મુક્તિ માટેની આવશ્યક્તા છે અને તે બીજા પ્રકારની વ્યક્તિઓ માટે જ શક્ય છે. આ રીતે અહીં આપણને જન્મ-મૃત્યુના ચક્રાવામાંથી મુક્તિ માટેની આકાંક્ષા પ્રતિ માનવ વ્યક્તિને વાળવા માટે પણ સારી-સ્વસ્થ શારીરિક અને માનસિક સ્થિતિની આવશ્યક્તાને સ્વીકાર જોવા મળે છે. કથળેલું સ્વાસ્થ કે દૌર્બલ્ય કે ખરાબ માનસિક સ્વાશ્ય હોય ત્યારે માનસિક સમતુલા (નૈતિક તૈયારી માટેની અનિવાર્ય શરત) શક્ય નથી. ૩. દેવ રિથતિ ઊર્વલોક (The celestial state) : માનવ વ્યક્તિઓની તુલનામાં દેવો દીર્ધાયુ છે અને શુભ કર્મયગથી આનંદની વિભિન્ન અવસ્થાએ ભેગવે છે. જેની દષ્ટિએ, દેવત્વની સ્થિતિ “અંતિમ સ્થિતિ' નથી. દેવો પણ મુક્ત જીવ નથી, તેઓ આનંદની અનંત સ્થિતિ ભોગવતા નથી કે જન્મ-મૃત્યુની ઘટમાળથી પર નથી. તેઓ પણ તેમનાં કર્મો અનુસાર પ્રાણુઓ તરીકે કે માનવ વ્યક્તિ તરીકે પુનર્જન્મ લે છે. જ્યારે કર્મો પરિપૂર્ણ થાય છે ત્યારે અસ્તિત્વની તેમની સ્થિતિને પણ અંત આવે છે. તેઓ મનુષ્ય કરતાં એ રીતે જુદા પડે છે કે અસ્તિત્વની તેમની સ્થિતિનો અંત લાવવા માટે મૃત્યુનું કોઈ નિશ્ચિત કારણ નથી. દૈવી અસ્તિત્વની લાક્ષણિક્તા એ છે કે તેમની શારીરિકમાનસિક શક્તિઓ સંપૂર્ણતઃ વિકસિત હોય છે. કેટલીક બાબતોમાં દેવો મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy