________________
જનદર્શન જેવા જ હાથ છે. મનુષ્યની જેમ, તેમને પણ વિષયવાસના છે. છતાં વિષયવાસનાના સંતોષની રીતિઓમાં જુદા જુદા દે જુદા પડે છે. દેવોને વીર્ય ખલના નથી, દેવીઓને ગર્ભધારણ નથી. દેવ માતાની કુખે જન્મતા નથી, પરંતુ તેઓ એક વિશેષ પ્રકારની શય્યા પર જન્મ લે છે. તેઓ ગર્ભ જ નથી. તેમનું મિથુન માનસિક સુખ-સંભોગમાત્ર હોય છે.
દૈવી વ્યક્તિઓના ચાર પ્રકારે ? દવેના જ પ્રકારે નીચે મુજબ છે:
(૧) ભવનવાસીઃ આ દેવે સૌથી નીચેની કક્ષાના માનવામાં આવે છે અને તેમનું ૧૦ પેટા વર્ગોમાં વિભાજન કરવામાં આવે છે: ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. વિદ્યુતકુમાર, ૪. સુપર્ણકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. વાતકુમાર, ૭. સ્વનિતકુમાર, ૮. ઉદધિકુમાર, ૯, દીપકુમાર અને ૧૦. દિકુમાર. તેઓ તેમનાં વસ્ત્રાભૂષણે, શસ્ત્રાસ્ત્રો, વાહન વગેરેથી યુવાન દેખાતા હોવાથી કુમાર કહેવાય છે.
(૨) વ્યંતરઃ આ દેવો ત્રણે લોકમાં વસતા હોવાનું માનવામાં આવે છે. તેઓ સંપૂર્ણ રીતે મુક્ત નથી એ હકીક્ત તેઓ માનવ વ્યક્તિઓની સેવા કરે છે તે પરથી સ્પષ્ટ થાય છે. તેમના ૮ પેટાવર્ગો છે : (૧) કિન્નર, (૨) કિમ્બુરુષ, (૩) મહારગ (૪) ગંધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૩) ભૂત, અને (૮) પિશાચ.
(૩) જતિષ્ક : આ દેવા ૫ જૂથમાં વિભાજિત થાય છે અને તેઓ સૂર્યો, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો અને તારાઓનું પ્રતિનિધિત્વ કરે છે. માત્ર મનુષ્ય સૃષ્ટિ માટે જ તેઓ સતત ગતિશીલ સ્થિતિમાં હોવાનું જણાય છે. સૂર્ય-ચંદ્રના બહત્વના સંબંધમાં જૈન સિદ્ધાંતની લાક્ષણિકતા માટે સ્પષ્ટીકરણ આવશ્યક છે. ખાસ કરીને જબુદ્વીપમાં (મધ્યલોકમાંના) બે સૂર્યો અને બે ચંદ્રો હોવાનું મનાય છે. સમયવિભાજન આ જયોતિર્મય દેવોની ગતિથી જ નિર્ધારિત થાય છે. ભૂમિ તળથી માંડી મધ્ય લોકના અંતરવર્તી વિશાળ આકાશમાં જતિષ્ક વસે છે.
(૪) વૈમાનિક વૈમાનિક દેવોના બે પ્રકારે છે : (૧) કો૫૫ન: ક૯૫ એટલે ઈંદ્ર વગેરે પદ હોય છે એવા સ્વર્ગ(દેવનું નિવાસસ્થાન)માં જન્મ લેનાર અને (૨) કલ્પાતીતઃ અહીં પદ-વિભાજન નથી. વૈમાનિક દે જતિષ્ક દેવો. કરતાં પણ ઉપર ઊર્વલોકમાં વસે છે. સુમેરૂ પર્વતના શિખરથી ઊર્વલકને આર ભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org