________________
પ૪
જૈનદર્શન
જીવ એકન્દ્રિય પ્રકારના છે અને તે માત્ર સ્પર્શ સંવેદન ધરાવે છે, જ્યારે ત્રસ પ્રકારના છ બે થી પાંચ ઈદ્રિયે ધરાવે છે. આ બંને પ્રકારના પેટાપ્રકાર નીચે મુજબ છે.
(અ) સ્થાવર જીવના પાંચ પ્રકારો અને તેનાં ઉદાહરણે ૧. પૃથ્વીકાય ? ધૂળ, માટી, રેતી, પથર, ધાતુઓ (લેતું, તાંબુ, ચાંદી, હીરા,
વગેરે), સિરિયા. ૨. અપ(જળ)કાય ? જળ, ઓસબિંદુ, બરફ, ધુમ્મસ.
તેજસ્કાય : વાળા, કેલસે, ખરતા તારા, વીજળી. ૪. વાયુકાયઃ ધીમી હવા, તેજ હવા, વાની ઝડી, વંટાળિયે
વનસ્પતિકાય : લસણ, ડુંગળી (ધણુના એક જ સામાન્ય શરીર), તૃણ, વૃક્ષ (સર્વેનાં અલગ અલગ શરીર)
આ પ્રત્યેકના પણ સૂક્ષ્મ અને બાદર (ધૂળ) એવા ભેદ પાડવામાં આવે છે. પ્રથમ પ્રકાર અત્યંત સૂક્ષ્મ હવાથી ચક્ષુ દ્વારા જોઈ શકાતો નથી, જ્યારે બીજે પ્રકાર જોઈ શકાય છે. (બ) ત્રસ જીવના ચાર પ્રકાર અને ઉદાહરણે: ૧. દ્વિ-ઈદ્રિય (સ્પર્શ –રસ) : કીડી, છીપ, શંખ જ, અળશિયાં, કૃમિ પર,
જળ વગેરે
ત્રિ-ઈદ્રિય (સ્પર્શ-રસ-ગંધ) : માંકડ, કીડી, મંકોડા, ધીમેલ વગેરે ૩. ચતુરિંદ્રિય (સ્પર્શ-રસ-ગંધ-દષ્ટિ)ઃ માખી, મધમાખી, મચ્છર, કરોળિયો,
તીડ, વીંછી, વગેરે. ૪. પંચેન્દ્રિય (સ્પર્શ-રસ-ગંધ-દષ્ટિ-શ્રવણ) : સિંહ, વાઘ, માનવી દેવ વગેરે. પંચેન્દ્રિય જીવના પ્રકારઃ
(૧) સ્વર્ગમાં રહેતા દેવતાઓ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચ (પશુ, પંખી, મચ્છ, સાપ, નળિયા, વગેરે) અને (૪) નારક ભૂમિના નારકે એવા ૪ ભેદ પંચેન્દ્રિય જીવોને પાડવામાં આવે છે. (૧) માછલી, હેલ જેવાં જળચર પ્રાણીઓ, (૨) હાથી, ઘડા જેવાં ભૂચર (સ્થળચર) પ્રાણીઓ અને (૩) વાયુ કે આકાશમાં રહેનાર નભચર પંચેન્દ્રિયનાં ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org