________________
જૈનદર્શન
ક્ષણભર નારકી અવસ્થાને છેડી દઈએ તે એમ દર્શાવી શકાય કે અન્ય અવસ્થાએ (તબક્કાઓ) એ પ્રગતિશીલ સોપાને વ્યક્ત કરે છે કે જેમાંથી જીવ પૂર્ણતા પ્રાપ્ત કર્યા પહેલાં પસાર થાય છે. જીવ-ઉત્ક્રાંતિનાં આ વિભિન્ન સોપાનેને “પર્યાય” તરીકે નિર્દેશવામાં આવે છે. આ પ્રત્યેક તબક્કામાં છવ વાસ્તવિક પરિવર્તનોમાંથી પસાર થાય છે. આમ છતાં તેની તાદામ્યતા જારી રહે છે–તેને લોપ થતો નથી. પરિવર્તન એ જન્મ-વિકાસ-મૃત્યુ-ની હકીકતોમાં દષ્ટિગોચર થાય છે.
(૨) શુદ્ધ (સિદ્ધ) અને અશુદ્ધ (સંસારી) જીવપ્રકારે (Pure (Liberated) and Impure (Worldly) Types of Soul )
સામાન્ય રીતે જીવના સંસારી અને સિદ્ધ (મુક્ત) એવા બે ભેદ-પ્રકાર પાડવામાં આવે છે. સંસારમાં ભ્રમણ કરતા છ સંસારી કહેવાય છે. “સંસાર” શબ્દ સમૂ ઉપસર્ગપૂર્વક “સુ” ધાતુ પરથી બનેલો છે. “ ધાતુને અર્થ ભ્રમણ થાય છે. “સ” ઉપસર્ગ તે જ અર્થનું સમર્થન કરે છે. ૮૪ લાખ યોનિમાં અથવા ચાર ગતિઓમાં પરિભ્રમણ કરવું તે સંસાર અને તેમાં પરિભ્રમણ કરનારા સસારી કહેવાય છે. સંસારને વળગેલા છ સંસારી કહેવાય છે. કર્મબદ્ધ અવસ્થા સંસારી જીવોનું લક્ષણ છે. કમપાશથી બદ્ધ છવ સંસારી છે, જ્યારે કર્મશન્ય જીવ મુક્ત છે. સંસારી જીવો જગતની વ્યકિતઓના બંધનયુક્ત આત્માઓ-છો છે અને જન્મ-મરણની ઘટમાળને આધીન છે. મુક્તાત્માઓ બંધનાવસ્થામાં નથી, તેમણે પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
કર્મ સાથેના સાહચર્યને લીધે જીવ બદ્ધ બને છે અને જીવનું સ્વાભાવિક સચ્ચિદાનંદસ્વરૂપ આચ્છાદિત થઈ જાય છે. કર્મ સાથે જીવનું સંયોજન અશુદ્ધિનું ચિહ્ન મનાય છે અને તેથી બંધાવસ્થામાં જીવ અશુદ્ધ છે સમસ્ત કર્મોને ક્ષય કરી મોક્ષપ્રાપ્તિ થતાં જીવ શુદ્ધ બને છે. જેવી રીતે ખાણમાંથી પ્રાપ્ત થયેલ અશુદ્ધિઓથી આચ્છાદિત રત્નને જ્યારે શુદ્ધ કરવામાં આવે છે અને તેને કાપવામાં આવે છે ત્યારે તે ઝળહળે છે તેવી રીતે કર્મબંધમાં જકડાયેલા અશુદ્ધ જીવની જંજીર જ્યારે તૂટે છે ત્યારે તે નિર્વાણવસ્થા પ્રાપ્ત કરે છે અને શુદ્ધ સ્થિતિમાં તે પૂર્ણ જ્ઞાનશકિત-આનંદયુક્ત બને છે. શુદ્ધ-અશુદ્ધ એવા જીવના બે પ્રકાર છે, પરંતુ આ બંને એકમેકથી સંપૂર્ણ રીતે જુદા નથી એ હકીકત આ બંને પ્રકારના ગુણોની નીચે દર્શાવેલ તુલના દ્વારા સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org