________________
જૈન તરવવિજ્ઞાન
પ૧ અને ભોક્તા બને છે. આત્માનું અસ્તિત્વ જ્ઞાતા અને ભક્તાનું અસ્તિત્વ છે. જેને આત્માનું અસ્તિત્વ નીચે મુજબ પુરવાર કરે છેઃ
(૧) પદાર્થોને જ્ઞાતા ભૌતિક શરીર નથી, પરંતુ અન્ય કંઈક છે. શરીર જડ છે અને કંઈપણ જાણી શકે નહીં. મન અને ઈદિ જ્ઞાતા હોઈ શકે નહીં, કારણ કે જ્ઞાતા મનને તેમજ ઇન્દ્રિયને જ્ઞાતા પણ છે અને જ્ઞાતા સ્વયં સેય હોઈ શકે નહીં.
(૨) ઈદ્રિ, દેવ અને મનની પ્રવૃત્તિઓના માર્ગદર્શક અને નિયામક તરીકે કઈક છે અને આ આત્મા છે.
(૩) નિયામક તરીકે આત્મા સક્રિય હોવો જોઈએ અને તે માત્ર પ્રવૃત્તિને નિષ્ક્રિય નિરીક્ષક હોવો જોઈએ નહીં. જે તે પ્રવૃત્તિઓને કર્તા ન હોય તો તે દુષ્કર્મોના પાપથી અસર પામશે નહીં અને જે તે અસરમુક્ત રહે તે કઈ નૈતિક નિયમની અને મુકિત માટેના સંગ્રામની કોઈ આવશ્યકતા રહે નહીં.
(૪) આત્મા દુષ્કર્મોના પાપથી ખરડાય છે અને સત્કર્મોના પુણ્યનાં ફળ ભગવે છે અને તેથી તે ભકતા છે. (ક) વનાં વિભિન દષ્ટિએ વગર કરણે (classifications of soul
from Various View-points) : (૧) ચાર વિભિન્ન ગતિએ મુજબ જીવનું વગીકરણ:
જીવ’ શબ્દ જૈન દર્શનમાં માત્ર માનવાત્મા પૂરતો સીમિત નથી. તે ચેતનને સામાન્ય સિદ્ધાંત નિર્દેશ છે. ચેતના અસ્તિત્વની ચાર ગતિઓમાં જોવા મળે છે. અસ્તિત્વની વિભિન્ન ગતિઓ વ્યક્તિ કરતી જુદી જુદી ચેતન–કક્ષાઓ નીચે મુજબ છે : ૧. દેવતા ૨. માનવી ૩. તિર્યંચ અને ૪. નારકી જૈન ગ્રંથ અને જૈન દેરાસરોમાં હંમેશાં જોવા મળતી સ્વસ્તિક (ગુ + અતિ + 4 = કલ્યાણ) સત્તા જીવની વિભિન્ન ગતિઓ (તબક્કાઓ) સૂચવે છેઃ ૧ દેવ ગતિ ૨. મનુષ્ય ગતિ ૩. તિર્યંચ ગતિ ૪. નરક ગતિ.
૧ દેવતા ૨ મનુષ્યોને
JU૩ તિર્યંચ ૪ નારકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org