SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈનદર્શન ગુણયુક્ત છે, સર્વશકિતમાન છે, સર્વજ્ઞ છે. કર્મ સાથેના જીવના સમાગમને લીધે જીવનાં આ લક્ષણે નાશ પામતાં ન હોવા છતાં આચ્છાદિત બને છે અને પરિણામે જીવની ‘બાહ્ય પ્રતિમા' તેની આંતરિક ભવ્યતાને ખોટું રૂપ આપે છે. કાકાશમાં જીવોની સંખ્યા અનંત છે. તેઓ સરખા અને નિત્ય છે, આદિ અને અંત વિનાના છે. જૈન દર્શન મુજબ, જીવમાં અસ્તિત્વ, ચેતના, ઉપગ, કર્તૃત્વ, ભેતૃત્વ, પ્રભુત્વ, દેહપરિમાણુ અને અમૂર્તત્વ વગેરે ગુણ છે. અસ્તિત્વની દષ્ટિએ, સર્વ તત્તવો-પદાર્થો સમાન છે, પરંતુ મૂલ્યની દષ્ટિએ આત્મા સૌથી અધિક મૂલ્યવાન છે. તેથી જ એમ કહેવામાં આવે છે, “જે આત્માને જાણે છે તે સર્વ કઈ જાણે છે.” વિશ્વમાં જીની સંખ્યા અનંત-અનિશ્ચિત છે અને છ એકમેકથી પૃથક છે, સ્વતંત્ર છે. આમ છતાં તે અન્ય જીવ અને દ્રવ્ય સાથે સંબંધમાં છે. દરેક જીવ અસંખ્ય પ્રદેશયુક્ત છે. તે સર્વવ્યાપી નથી. તેનું કદ નિશ્ચિત નથી, કારણ કે જીવ સ્વદેહ-પરિમાણ છે. જીવ સમય પૂરતો જ દેહ સાથે સંબંધિત થાય છે ત્યારે તે તે શરીરના પરિમાણ અનુસાર પ્રસરણ-સંકોચન પામે છે. આ રીતે જીવે સંકોચશીલ-વિકાસશીલ છે. જીવના અસંખ્ય પ્રદેશ કીડા જેવા નાના શરીરમાં સંકોચાઈને રહે છે અને હાથી જેવા મહાકાય શરીરમાં વિકાસ પામીને રહે છે. પ્રદેશોના સંકોચન-પ્રસરણ દ્વારા જીવ દીપકના પ્રકાશની જેમ નાના-મોટા ઓરડાના અવકાશને ભરી દે છે. જીવનમાં અન્ય લક્ષણોની જેમ તેનું બિનઅવકાશીય લક્ષણ પણ પુદ્ગલ સાથેના તેના સાહચર્યને લીધે અસર પામે છે. આ રીત, જૈન દર્શન અન્ય ભારતીય દર્શનમાં સ્વીકૃત એવા જીવન અપરિવર્તનીય સ્વરૂપને ઈન્કાર કરે છે. આમ છતાં જીવને મૂળ સ્વરૂપમાં પરિવર્તન થતું નથી. અન્ય કોઈ ભારતીય દર્શન દેહસમાન જીવના કદના સિદ્ધાંતને સ્વીકારતા નથી અને આત્માના કદ અંગેના જૈન ખ્યાલની આકરી ટીકા કરે છે. વાદિદેવસૂરિ આત્મા–જીવ–ના સ્વરૂપનું કથન નીચે મુજબ કરે છે: “આત્મા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ છે. તે ચેતનસ્વરૂપ છે, પરિણામી છે, કર્તા છે, સાક્ષાત ભોક્તા છે, સ્વદેહપરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પુદ્ગલકર્મયુક્ત છે.” (પ્રમાણન તવાલેક-૭.૫૫-૫૬) (બ) આમા કે જીવના અસ્તિત્વ માટેની સાબિતીઓ (Proofs for Existence of Soul ) : જૈન તરવવિજ્ઞાન “આત્મા અને જીવ’ શબ્દ સમાન અર્થમાં વાપરે છે. જીવ બંધનયુકત આત્મા છે અને આત્મા શુદ્ધ જીવ છે. જેના મતે, જીવ જ્ઞાતા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy