SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તવિાન (૪) છ દ્રવ્યાના સંદર્ભમાં વિભિન્ન વગી કરણાના સારાંશ ૧. જીવ : અરૂપી, ચેતનયુક્ત, અભૌતિક, અસ્તિકાય ૨. પુદ્ગલ ઃ રૂપી, અચેતન, ભૌતિક, અસ્તિકાય ૩. ધર્મ : અરૂપી, અચેતન, અભૌતિક, અસ્તિકાય (ગતિનું માધ્યમ) ૪. અધમ : અરૂપી, અચેતન, અમૌતિક, અસ્તિકાય (સ્થિતિનુ માધ્યમ) ૫. આકાશ ઃ અરૂપી, અચેતન, અમૌતિક, અસ્તિકાય (દિનું સ્વરૂપ) ૬. અદ્દા સમય ઃ અરૂપી, અચેતન, અભૌતિક, અનસ્તિકાય (કાળ) ૯. દ્રવ્યનું તાત્ત્વિક વગી કરણ : ષડ્દ્રયે! : તાત્ત્વિક પદાર્થા : (Meta physical Classification of Substance : Six Substances : Metaphysical Categories) : હવે ષડદ્રબ્યામાંના પ્રત્યેક દ્રવ્ય અંગે સવિસ્તર ોઈશું. ૧. જીવ (SOUL) (અ) જીવનું સ્વરૂપ (Nature of Soul) : ચેતના જીવનું વિશિષ્ટ લક્ષણ છે—ચેટમાં સક્ષળો ઝીઃ। જીવ તત્ત્વત ઃ ચેતનયુક્ત છે. તે પ્રત્યક્ષ રીતે કર્તા અને ભેાક્તા છે. જીવમાં ચેતનાનું લક્ષણ છે અને તેથી તે સુખ-દુઃખને આધીન છે. આ રીતે તે સક્રિય છે. તદુપરાંત, ચેતના સ્વયં સક્રિય છે. ચેતના જ્ઞાન કે બુદ્ધિ સૂચવે છે. જીવ તેના દ્વારા થતાં સર્વે કમેનિા પ્રત્યક્ષ ભોક્તા છે. જીવ અરૂપી છે અને ખાદ્ય પદાર્થ નથી અને તેથી ઇંદ્રિયો દ્વારા તેનુ પ્રત્યક્ષીકરણ થતું નથી, પરંતુ તેનું જ્ઞાન આંતરનિરીક્ષણ અને અનુમાન દ્વારા શકય છે. જૈન દર્શનની શાસ્ત્રીય પરિભાષામાં આ ચેતના માધ’ કહેવાય છે. જ્યારે આ ખાધ-ચેતના અમુક ઢબે ઉત્ક્રાંત થાય છે–વિકાસ પામે છે ત્યારે તે જ્ઞાન બને છે, જ્ઞાન અને દર્શન જીવમાં અંતર્ગત છે. તેનું આંતરિક સ્વરૂપ પૂર્ણતાનું છે, પર ંતુ ક -પુદ્ગલ સાથે જીવ સ ંબંધિત હોવાને લીધે સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ન પ્રચ્છન્ન છે અને તેથી જીવનમુક્તિ પ્રાપ્ત કરવા જીવ માટે કર્મ-પુદ્ગલને અલગ કરવું આવશ્યક બને છે. જીવ એકમાત્ર જ્ઞાતા છે. ચેતના તેનું આવશ્યક લક્ષણ છે અને તેને સવિકલ્પક-નિર્વિકલ્પક જ્ઞાન પ્રકારાની પ્રાપ્તિ માટે શક્તિમાન બનાવે છે. હું નણું છું, મેજ જાણતું નથી. પેન પોતાના અસ્તિત્વ અંગે કે મે' તેના કરેલા ઉપયોગ અંગે સભાન નથી. મારા લેખનની તારીખ કે માસ પણ સાન નથી. પુદ્ગલ, ધર્મે, અધ, આકાશ અને કાળ ચેતનવહાણા છે. સ્વભાવથી પ્રત્યેક જીવ શુદ્ધ-જીદ્દ-મુક્ત છે, અનંત જે. ૪ Jain Education International For Private & Personal Use Only ૪૯ www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy