________________
જૈન તવવિજ્ઞાન
ભેદવાદ પદાર્થમાં અવયને ઈન્કાર કરે છે. તેને હર ક્ષણમાં ભિન્ન-ભિન્ન તત્વની અને ભિન્ન ભિન્ન જ્ઞાનની સત્તામાં વિશ્વાસ રાખે છે. તેની દષ્ટિએ ભેદ સિવાય અન્ય કઈ પણ પ્રકારનું તવ દેષમુક્ત નથી. જ્યાં ભેદ છે ત્યાં જ વાસ્તવિકતા છે. ક્ષણભંગવાદ જ અંતિમ સત્ય છે. પ્રત્યેક પદાર્થ ક્ષણિક છે. હર ક્ષણમાં પદાર્થની ઉત્પત્તિ અને નાશ થાય છે. કોઈ પદાર્થ નિત્ય નથી. જ્યાં નિત્યતા ન હોય ત્યાં અભેદ કેવી રીતે હોઈ શકે ? જ્ઞાન અને પદાર્થ બંને ક્ષણિક છે. આપણે જેને આત્મા કહીએ છીએ તે પંચકું (વિજ્ઞાન-ચેતના, વેદના, સત્તા, સંસ્કાર અને રૂ૫)ને સમુદાય માત્ર છે. આત્મા નામનું કોઈ એક અખંડ અને નિત્ય દ્રવ્ય નથી. આ અનાત્મવાદ (નૈરાગ્યવાદ) અથવા પુદ્ગલને રામ્ય તરીકે ઓળખાય છે. જેને આપણે બાહ્ય પદાર્થ કહીએ છીએ તે ક્ષણિક અને નિરંશ પરમાણુઓને સમુદાયમાત્ર છે. આ ધર્મરામ્ય તરીકે ઓળખાય છે. બૌદ્ધ દર્શનમાં આ સમુદાયવાદ સંધાતવાદના નામથી ઓળખાય છે. સંઘાત એટલે જુદા જુદા નિરંશ તને સમુદાય. આ દેશ-દિકની અપેક્ષાએ છે.
આ જ પ્રમાણે, કાળની અપેક્ષાએ સંતાનવાદનું સમર્થન કરવામાં આવે છે. ચિત્ત કે પરમાણુની સંતતિ જોઈને આપણે “આ તે જ છે એવું કહીએ છીએ. વાસ્તવમાં આ આ છે અને તે તે છે. જ્યારે સર્વ કંઈ ક્ષણિક હોય ત્યારે આ તે કેવી રીતે બની શકે ? આપણે સર્વ વ્યવહાર સંઘાતવાદ અને સંતતિવાદ પર આશ્રિત છે. સંઘાતવાદથી અવકાશીય ચિક્યને બંધ થાય છે અને સંતાનવાદથી કાલિક અષનું જ્ઞાન થાય છે. અભેદ કે અન્વય સંતાનજન્ય છે. વાસ્તવમાં પ્રત્યેક જ્ઞાન અને પદાર્થ નિરંશ અને ભિન્ન છે. એક્ય સંતાનથી ભિન્ન કશું નથી. સંતાન પરંપરા દ્વારા ટલાક સમાન પદાર્થોને જોઈને તેમનામાં એકવાનું આરોપણ કરવામાં આવે છે. વાસ્તવમાં સર્વ કંઈ ક્ષણિક છે અને એકબીજાથી અત્યંત ભિન્ન છે. પરિવર્તનની ઝડપ અક્ય કે અન્વયનાં બ્રમ ઉત્પન્ન કરે છે. પદાર્થમાત્ર એટલી તીવ્ર ગતિથી પરિવર્તન પામે છે કે તેના પરિવર્તનનું જ્ઞાન આપણને થતું નથી અને આપણે તેને નિત્ય કે સ્થાયી સમજીએ છીએ.
- બૌદ્ધો નિત્ય દ્રવ્યના ખ્યાલને ઇન્કારે છે. તેમના મતે, ક્ષણે જ અંતિમ દષ્ટિએ વાસ્તવિક છે. પ્રત્યેક ક્ષણ હારમાળાની શેષ ક્ષણથી ભિન્ન છે. જે કંઈ અસ્તિત્વમાન છે તે અન્ય અસ્તિત્વમાન પદાર્થોથી સંપૂર્ણ રીતે પૃથક રીતે અસ્તિત્વમાન છે. અસ્તિત્વ હોવું એટલે પૃથફ રીતે અસ્તિત્વ હોવું. પૃથક્તાને ખ્યાલ સત(અસ્તિત્વ)ના આવશ્યક લક્ષણ સાથે સંલગ્ન છે. આ રીતે પ્રત્યેક વાસ્તવિક્તા અન્ય વાસ્તવિકતા છે. જે અનન્ય કે સમાન છે તે અંતિમ દષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org