________________
જેનદર્શન
શંકરના મત મુજબ, વાસ્તવિક્તાની ત્રણ કક્ષાઓ નીચે મુજબ છે : ૧. સ્વપ્ન અને ભ્રમમાં દષ્ટિગોચર થતાં પદાર્થોને માત્ર પ્રતિભાસિક સત્તા છે. ૨. આપણું સામાન્ય અનુભવના બાહ્ય પદાર્થોને માત્ર વ્યાવહારિક સના છે. ૩. બ્રહ્મન જ એકમાત્ર પારમાર્થિક સત્તા છે. તે સર્વ ભેદે અને વિરોધાભાસેથી પર છે. તે જ એક માત્ર અંતિમ વાસ્તવિકતા છે, જ્યારે પ્રતિભાસિક અને વ્યાવહારિક સત્તાએ નિમ્ન દૃષ્ટિબિંદુથી જ વાસ્તવિક છે.
શંકરને વિશ્વ અંગેને સમગ્ર ખ્યાલ વાસ્તવિકતાના વિવર્તવાદ પર રચાયેલ છે. શંકર પોતાના દૃષ્ટિબિંદુની સમજૂતી અર્થે રજુ-સર્પ સદસ્યને ઉપયોગ કરે છે. રજુ-સર્પ ઉદાહરણમાં, દોરડું વાસ્વવિક છે અને સાપ વાસ્તવિક નથી. આમ છનાં દેરડામાંને સાપ સાચા સાપનાં સર્વ લક્ષણ ધરાવતે દેખાય છે. આ હકીકત માટેનું કોઈ કારણ સમજમાં આવતું નથી. જે વાસ્તવમાં ત્યાં છે તે (દોરડું) ગ્રહણ થતું નથી અને સાપ જે ત્યાં નથી તે ગ્રહણ થાય છે. સાચાંવાસ્તવિક જ્ઞાનને (આ કિસ્સામાં દોરડાના સાચા જ્ઞાનનો ઉદય થતાં દોરડાને સાપ તરીકે જોવામાં આવતું નથી. એ જ પ્રમાણે, એક માત્ર વાસ્તવિકતા, બ્રહ્મન સૃષ્ટિ તરીકે દેખાય છે અને જ્યાં સુધી આ હકીકત સમજાય નહીં ત્યાં સુધી વિશ્વની અનેકતાને સ્વીકાર કરવામાં આવે છે અને તેને જ સમગ્ર વાસ્તવિકતાને વ્યક્ત કરતી માનવામાં આવે છે. શંકરના મતે, વિશ્વની અનેકતા માત્ર આભાસી છે, વાસ્તવિક નથી. તે વિશ્વની અનેકતા પરથી બ્રહ્મના અદંત પર જવાનો આગ્રહ રાખે છે. બ્રહ્મનું એક માત્ર વાસ્તવિકતા છે, તેમાં કઈ ભેદ નથી. તે એક શુદ્ધ સ્વરૂપ તત્વ છે.
૨. ભેદવાદ :
વાસ્તવિક્તા અંગેના અદૈતના ઉપરોક્ત મતથી તદ્દન વિરુદ્ધ બૌદદ મત છે. બીદ્ધ મતે, નિત્યતા, અભેદ, સામાન્ય કલ્પનાની નીપજ છે. વાસ્તવિકતા વર્ણવવા માટે ઉપનિષદ વગેરેમાં આત્મા, નિત્યત્વ અને આનંદ જેવા શબ્દો જેવા મળે છે, જ્યારે વૈરાગ્ય, અનિત્ય અને દુઃખ જેવા શબ્દો વાસ્તવિકતા અને જીવન અંગેનું બદ્ધ મંતવ્ય દર્શાવવા માટે વપરાતાં જોવા મળે છે. ભાષિક અને સત્રાંતિક સંપ્રદ આહુવિક વિશિષ્ટ અને ક્ષણિક વિચારમાં માને છે, જેમને પ્રત્યેક અન્યથી નિરપેક્ષ રીતે ભિન્ન છે અને તેમનામાં તેમને એકી સાથે જોડતું કશું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org