________________
જૈન તવવિજ્ઞાન
(૭) ભેદ-અભેદ અંગે વિભિન્ન મંતવ્યે (Different views regards Difference) :
તત્ત્વ (Being)ના સિદ્ધાંતના સ ંબંધમાં વાસ્તવિકતાના આવશ્યક સ્વરૂપ તરીકે કાં તે અભેદ-અદ્વૈત-અનન્યતા પર અથવા તેા ભેદ–અનેકતા-વૈવિધ્ય પર ભાર મૂકી શકાય, અને આને અનુલક્ષીને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં નીચેનાં ચાર મ ંતવ્ય મુખ્યત્વે પ્રાપ્ત થાય છે: (૧) અભેદવાદ-અદ્વૈતવાદ, (૨) ભેદવાદ, (૩) ભેદાભેદ, અને (૪) ભેદ–વિશિષ્ટ અભેદ.
૩૯
૧. અભેદવાદ :
ઉપનિષદ અને અદ્વૈત વેદાંતમાં અભેદવાદનું સમર્થન જોવા મળે છે. આ મતે, ભેદ-અનેકતા મિથ્યા છે, એકત્વ-અદ્વૈત જ મૂલ્યવાન છે. તે જ પૂર્ણ અને અનંત છે. તત્ત્વ અભેદમાં છે, ભેદમાં નહીં. અજ્ઞાનને લીધે ભેદની અનેકરૂપતાની પ્રતીતિ થાય છે. નાનીની પ્રતીતિ હંમેશાં અભેદમૂલક હોય છે.
as
શંકરના અદ્વૈત વેદાંત મુજબ, અંતિમ વાસ્તવિકતા બ્રહ્મન્ કે આત્મા છે. બ્રહ્મન્ એક અંતિમ વાસ્તવિક્તા છે, બાહ્ય સૃષ્ટિ આભાસમાત્ર છે. આપણા અનુભવના ભેદ–અનેકતા આપણને વાસ્તવિકતાના ખ્યાલ આપણને આપતા નથી, તે માત્ર તેના આધારરૂપ બ્રહ્મને દર્શાવે છે. દશ્ય ષ્ટિ તેના ભૌતિક કારણનુ વાસ્તવિક રૂપાંતર (પરિણામ) વ્યક્ત કરતી નથી; તે માત્ર આભાસ જ છે. જે એકમાત્ર વાસ્તવિતા છે તે બ્રહ્મન્ જ સૂષ્ટિ તરીકે દેખાય છે.
આત્મા અનુભવને પારમાર્થિક આધાર છે. તે ક્ષણભંગુર નથી, પણ શાશ્વત (નિત્ય) છે, પરિવર્તનશીલ નથી પણ અપરિવર્તનશીલ છે, સાન્ત નથી પણુ અનંત છે, મર્યાદિત અને સેાપાધિક નથી પણુ અમર્યાદિત અને નિરુપાધિક છે. તેનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે અને તેના ઇન્કાર શક નથી. તે હ ંમેશાં ચેતનમુક્ત છે. તે જ્ઞાતા-દ્વેય દ્વૈતના આભાસથી મુક્ત છે. તે સર્વ આભાસામાં અંતર્ગત એવી શૃંદ્ધ ચેતના છે. વિચારનાં મૂળતત્ત્વા દ્વારા તેનું વર્ણન શકય નથી. તે નવચનીય છે. અંતઃસ્ફુરણા દ્વારા તેના સાક્ષાત્કાર શકય છે ખરા. નાતા-નૈય દૈતનુ રૂપાંતર અ ંતે શુદ્ધ ચેતનામાં થાય છે. માનવબુદ્ધિ મર્યાદિત અને સાન્ત છે, અંતિમ વાસ્તવિકતા નિરપેક્ષ અને અતિમ તત્ત્વ છે અને તેથી માનવ–બુદ્ધિ અંતિમ વાસ્તવિકતા ગ્રહણ કરવા સમર્થ નથી.
Jain Education International
વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની અ ંતિમ ભૂમિકામાં પણ ઉપરીક્ત વિચારધારાનાં દન થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org