________________
જૈનદર્શન વાસ્તવિક નથી. ચેરબેટસ્કી દર્શાવે છે તેમ “દિફ-કાળમાં ભેદ દ્રવ્યમાંને ભેદ છે.”* આ રીતે, ભેદ બદ્ધ તરવવિજ્ઞાનને ચાવીરૂપ પ્રત્યય છે. પ્રત્યેક અસ્તિત્વ સંપૂર્ણપણે સ્વયંપૂર્ણ અને સ્વતંત્ર છે અને તેથી નિત્યતા, દ્રવ્યત્વ અને એક્યના ખ્યાલને ઉત્પન્ન કરતા સાતત્યના ખ્યાલને સ્વીકાર અહીં કરાતો નથી.
૩. ભેદભેદ :
અહીં ભેદ અને અભેદ બંનેનું સમર્થન કરવામાં આવે છે. બંને સ્વતંત્ર રીતે સત છે અને બંને વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. ન્યાયનોષિક દર્શનમાં સામાન્ય અને વિશેષ નામક બે જુદા જુદા પદાર્થો છે. આ બંને પદાર્થો સ્વતંત્ર અને એકબીજાથી સંપૂર્ણ ભિન્ન છે. કેઈક વિશિષ્ટ સંબંધ દ્વારા સામાન્ય અને વિશેષ એકત્રિત થાય છે. સામાન્ય એકતાનું સૂચક છે અને વિશેષ ભેદનું સૂચક છે. વસ્તુના ભેદ અને અભેદનું સામાન્ય અને વિશેષને લીધે છે. એકતાની પ્રતીતિ અભેદને લીધે છે-સામાન્યને લીધે છે. સર્વે ગાયોમાં ગત્વ સર્વસામાન્ય છે અને તેથી સર્વેમાં એકસમાન પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ એકતાની પ્રતીતિ છે. આ જ રીતે, સર્વે ગાયે વ્યકિતગત રીતે અલગ પણ દેખાય છે. તેમનું પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ છે. જાતિ અને વ્યકિતને સંબંધ જ ભેદ અને અભેદની પ્રતીતિ છે. બંને એકબીજાથી અત્યંત ભિન્ન છે પરંતુ સમવાય સંબંધને લીધે બંનેનું મિલન થતું દેખાય છે. વ્યકિતમાં સામાન્ય અને વિશેષ બંને લક્ષણેનું સંયોજન થાય છે. આ રીતે ભેદ અને અભેદને ભિન માનનાર વિશિષ્ટ સંબંધ દ્વારા બંનેનું મિલન કરાવે છે, પરંતુ વાસ્તવમાં બંનેને ભિન્ન માને છે. જાતિ અને વ્યકિત કદી પણ અલગ અલગ પ્રાપ્ત થતાં નથી, કારણ કે તેઓ અયુતસિદ્ધ છે. આમ છતાં બંને સ્વતંત્ર અને એકમેકથી અત્યંત ભિન્ન છે. આમ અહીં ભેદ મુખ્ય છે અને અભેદ ગૌણ છે. વાસ્તવિકતા સામાન્ય. અને વિશેષનો સમુદાય છે, વાસ્તવિક સમન્વય નથી.
વિશેષિક દર્શન મુજબ એક તત્વ અન્ય સર્વ તોથી ભિન્ન હોવાનું કારણ વિશેષ છે. વાસ્તવિકતામાં અંતર્ગત કોઈ પણ તવ તેના મૂળમાં રહેલ વિરોષની સમજ દ્વારા જ વિચારી શકાય છે. સમવાયના સંશ્લેષક સિદ્ધાંતને લીધે વશેષિક દર્શન સંપૂર્ણ ભેદ પર ભાર મૂકતા બોદ્ધ દર્શનથી જુદું પડે છે. અહીં ભેદ' પર ભાર છે અને અભેદ દૂરને રખાયેલ છે.
* Stcherbastsky, Buddhist Logic, Vol. II, p. 282, f.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org