SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વવિજ્ઞાન ૩૫ થાય છે અને તેથી આ પણ વિકાસ પ્રક્રિયાને જ એક તબક્કો છે. કથંચિત પૂર્વે સત વસ્તુની સત્તાને વિયેગ (સત સત્તાવાળ: I) એ વ્યયનું લક્ષણ છે. માટીના ઘડાનું સ્વરૂપ કે તેને રંગ નાશ પામે છે. ૩. ધ્રૌવ્ય (permanence): ધ્રૌવ્ય-નિત્યતા-શાશ્વતતા દ્રવ્યનું આવશ્યક લક્ષણ છે. અને તે ઉત્પાદ અને વ્યય બંને સ્થિતિઓમાં અપરિવર્તિત રહે છે. ન તે તેની ઉત્પત્તિ થાય છે, ન તે તેને નાશ. તે નિત્ય અને અપરિવર્તનશીલ છે. દા. ત., માટીનું આવશ્યક સ્વરૂપ તેનાં વિભિન્ન રૂપાંતરો વચ્ચે પણ અપરિવર્તિત રહે છે. યુવત્વ દ્રવ્યના આવશ્યક સ્વરૂપની શાશ્વતતા નિર્દેશ છે. ઉત્પાદ અને વ્યય એ બંને અવસ્થામાં દ્રવ્યરૂપે સ્થિતિ ( પતયાનુવર્તન ) એ દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્ય તરીકે માટી સ્થાયી માની શકાય. કુંદકુંદાચાર્ય દ્રવ્યની વ્યાખ્યા પ્રવચનસાર(૨૩)માં નીચે મુજબ આપે છે. “જે અપરિક્ત સ્વભાવયુક્ત છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે, ગુણ-પર્યાયયુક્ત છે તે જ દ્રવ્ય છે'. દ્રવ્ય અને સત એક જ છે અને તેથી આ જ લક્ષણ સનું પણ લક્ષણ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવિહીન વાસ્તવિકતાને વિચાર સૈદ્ધાંતિક અમૂર્તીકરણ છે. પ્રત્યેક વાસ્તવિક પદાર્થ આ ત્રણ મૂળભૂત લક્ષણયુક્ત છે. આ ત્રણ અંશવિહીન કઈપણને વાસ્તવિક તરીકે વિચારી શકાય નહીં. વાસ્તવિકતા આ ત્રિધટકયુક્ત છે. તેને સ્વભાવ ત્રયાત્મક છે. આ સિદ્ધાંત તત્ત્વ-સત્ (Being)ના અનેકાંતવાદ તરીકે ઓળખાય છે. ત–સ-ને આ સિદ્ધાંત જૈન તત્ત્વવિજ્ઞાનનું તાવિક અધિષ્ઠાન છે. ૪. દ્રવ્ય, ગુણ અને પર્યાય : યુવત્વ અને પરિવર્તનશીલતા: (Substance, Attributes and Modes : Permanence and Change) જે ગુણ અને પર્યાયયુક્ત હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય એટલે ગુણ–પર્યાયનું આશ્રયસ્થાન (ગુણ વય મર્ચે ). જે દ્રવ્યની સાથે હંમેશાં હોય, સ્વયં ગુણરહિત હોય તે ગુણ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં ગુણ છે; અને જ્યાં ગુણ છે ત્યાં દ્રવ્ય છે. દ્રવ્ય અને ગુણ અવિનાભાવી છે. કાવ્યવિહેણુ ગુણનું અસ્તિત્વ નથી અને ગુણવિહાણ દ્રવ્યનું અસ્તિત્વ નથી. ગુણ નિત્ય છે અને તે સદા દ્રવ્યની સાથે રહે છે. દ્રવ્ય ગુણનું આશ્રયસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy