________________
જૈનદર્શન ગુણ હંમેશાં દ્રવ્યની અંતગર્ત હોય છે. ગુણ સ્વયંને ગુણ નથી, તે ગુણરહિત ગુણ નિત્યતાવાચક છે અને ધ્રૌવ્યના સ્થાને તેને પ્રયોગ થાય છે.
પર્યાય દ્વવ્યાશ્રિત છે અને ગુણરહિત છે. પર્યાય દ્રવ્યનું એક સ્વરૂપ છે અને દ્રવ્ય વિના તેનું અસ્તિત્વ શક્ય નથી. પર્યાય ઉત્પાદ-વ્યયયુકત હોવાથી દ્રવ્યમાં સદા નિહિત નથી. પર્યાય ક્ષણિક છે, પ્રતિ સમય ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. જૂના પર્યાયે નાશ પામે છે અને નવા નવા પર્યાયે ઉત્પન્ન થતા રહે છે. દ્રવ્ય સ્વભાવતઃ અધિકૃત રહીને અનંત પરિવર્તનમાં જે દેખાય છે તે પર્યાય” કહેવાય છે. પર્યાય પરિવર્તનસૂચક છે. ઉપાદ-વ્યયના સ્થાને “પર્યાય” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
દ્રવ્ય અનેકવિધ ગુણોનું આશ્રયસ્થાન છે. દ્રવ્યમાં બે પ્રકારના ગુણે છે: (૧) આવશ્યક છે નિત્ય લક્ષણ (સ્વરૂ૫), અને (૨) આકસ્મિક કે પરિવર્તનશીલ ગુણ (પર્યાયે) (૧) આવશ્યક કે નિત્ય લક્ષણો વિના દ્રવ્યનું અસ્તિત્વ સંભવિત નથી. દ્રવ્યમાત્ર તેનાં લક્ષણો(ગુણો)માં અને લક્ષણ દ્વારા અસ્તિત્વમાન છે. દ્રવ્યનાં નિત્ય લક્ષણ અપરિવર્તનશીલ છે, અર્થાત દ્રવ્ય અને તેનાં આવશ્યક લક્ષણે
અવિભાજ્ય છે, પરસ્પરાવલંબી છે, તે બંનેને કદી અલગ પાડી શકાય નહીં. આવાં લક્ષણો સદા દ્રવ્યમાં નિહિત છે. જે કઈ દ્રવ્ય હોય તો તેને કેટલાંક લક્ષણ હોવાં જોઈએ. એ જ પ્રમાણે જે કેટલાંક લક્ષણો હોય તે કાઈક દ્રવ્ય હોવું જોઈએ. (૨) આકસ્મિક કે પરિવર્તનશીલ ગુણે દ્રવ્યમાં સદા હોતા નથી. તેઓ આવે છે અને જાય છે. આ આકસ્મિક ગુણે પર્યાય' તરીકે ઓળખાય છે. આ રીતે પર્યાય પરિવર્તનશીલ ગુણ છે જે દ્રવ્ય કેટલીકવાર ધરાવે છે અને કેટલીકવાર ધરાવતું નથી.
દ્રવ્ય સ્વયં ન તે ઉત્પન્ન થાય છે કે ન તે નાશ પામે છે. અહીં દ્રવ્યના ધૃવત્વશાશ્વતતા-નિત્યત્વ પર ભાર મૂકવામાં આવે છે. દ્રવ્ય એ અસ્તિત્વનું હાર્દ છે–શાશ્વત રહેતું તત્ત્વ છે. સર્વાર્થસિદ્ધિ દર્શાવે છે તેમ, દ્રવ્ય તત્ત્વતઃ અપરિવર્તનશીલ છે. ઉત્પાદ અને વ્યય દ્રવ્યના પરિવર્તનશીલ પર્યાયે નિર્દેશ છે, જ્યારે વત્વ દ્રવ્યના નિત્ય-સ્થિર પાસાને નિર્દેશ છે. સતનાં આ ત્રણ પાસા અંગે આપણે આગળ જોઈ ગયા છીએ.
એક અને સમાન દ્રવ્યમાં પરિવર્તનશીલતા અને ધૃવત્વ જેવા બે પૂર્ણવિરેાધી. ગુણે કેવી રીતે શક્ય છે? ઉમાસ્વાતિને ધૃવત્વને ખ્યાલ નિરપેક્ષ (પૂર્ણ) ધ્રુવત્વને નથી. તેમના મતે, સ્વત્વ-નિજત્વ–ની જાળવણી ધૃવત્વને માપદંડ છે. સ્વત્વ (આત્મ-તત્વ)ના ત્યાગને અભાવ ધૃવત્વ છે. ઉમાસ્વાતિ આ વ્યાખ્યા નીચે મુજબ સમજાવે છે, “જે પોતાનું અસ્તિત્વદર્શક હાઈ ને તે વર્તમાનમાં ત્યજે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org