SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વવિજ્ઞાન ૨. જૈન સત્તામીમાંસા (Jaina Ontology) : ૧. વાસ્તવિક્તા માટેના પર્યાયવાચી શબ્દો (Synonyms for Reality) : જૈન દનમાં વાસ્તવિકતા માટે સત્, સત્તા, તવ, અર્થ, પદાર્થ, વગેરે પર્યાયવાચી શબ્દોના ઉપયોગ કરવામાં આવે છે. અન્ય ભારતીય દર્શના આ શબ્દો સમાન અમાં પ્રયોજતા નથી. વૈશેષિક દર્શન પદાર્થ' શબ્દ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ બધા માટે ઉપયોગમાં લે છે. પણ ‘અર્થ' શબ્દ દ્રવ્ય, ગુણુ અને કર્મ એ ત્રણ પદાર્થ માટે અનામત રાખે છે. ન્યાય દર્શન ‘સત્' શબ્દનો ઉપયોગ તેના ૧૬ પદાથા માટે કરે છે. સાંખ્ય દર્શન તેના પુરુષ અને પ્રકૃતિના સિદ્ધાંતા માટે તત્ત્વ શબ્દ પ્રયાજે છે. અન્ય ભારતીય દર્શન જેમ જૈન દર્શન પણ વાસ્તવવાદી છે પર ંતુ અહીં વાસ્તવિકતા, સત્, દ્રવ્ય, પદાર્થ વગેરે શબ્દો વચ્ચે કાઈ ભેદ નથી. જૈન તત્ત્વવિજ્ઞાન સત્-દ્રવ્ય-નુ તત્ત્વવિજ્ઞાન છે. સત્ તેનું તાત્ત્વિક અધિષ્ણન છે. ૨. વાસ્તવિકતાની વ્યાખ્યા : સત અને અસ્તિત્વ: (Definition of Reality; Reality and Existence) ઉમાસ્વાતિ વાસ્તવિકતા માટે ‘તત્ત્વ' શબ્દને સ્થાને દ્રવ્ય' શબ્દના પ્રયોગ કરે છે. આમ, દ્રવ્ય અને વાસ્તવિકતા વચ્ચે અહીં કાઈ ભેદ નથી. વાસ્તવિકતા દ્રવ્ય છે અને દ્રવ્ય વાસ્તવિકતા છે. આગળ દર્શાવ્યા મુજબ, સગ્રહ નયના દૃષ્ટિબિંદુથી, દ્રવ્ય એક છે, સત્ એક માત્ર દ્રવ્ય છે. આ દૃષ્ટિએ, ચેતન-જડ, સામાન્યવિશેષ, સાતા-નેય, એક-અનેક વચ્ચે કાઈ ભેદ નથી. ઉમાસ્વાતિ દ્રવ્યની વ્યાખ્યાં સત્ દ્વારા કરે છે. સત્ દ્રવ્યનું લક્ષણ છે-ત્ થ્ય ક્ષળમ્ । આમ, સત્અસ્તિત્વ-સત્તાએ વાસ્તવિકતાના મુખ્ય અને આવશ્યક માપદંડ છે. જે અસ્તિત્વમાન હોય તે વાસ્તવિક છે. અસ્તિત્વમાં સર્વ કંઈ સમાવિષ્ટ છે. ખાન શબ્દોમાં કહીએ તા, અસ્તિત્વ (સત્) વાસ્તવિકતા છે અથવા વાસ્તવિકતા અસ્તિત્વ (સત) છે. અસ્તિત્વ દ્રવ્ય છે. આ દૃષ્ટિએ, સર્વ કંઈ એક છે, કારણ કે સર્વ કઈ આસ્તત્વમાન છે-સર્વેનેજું સવિશેષાત્ । સ્થાનાંગ સૂત્રમાં ‘એક આત્મા', એક વિશ્વ' ને આયા; ગે છો । વગેરે ખ્યાલે જોવા મળે છે. આ ઉપનિષદના સત્ય તો એક જ છે પર ંતુ વિદ્વાને તેને અનેક પ્રકારે વર્ણવે છે'. ખ્યાલ જૈ. ૩ Jain Education International ૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy